રાજકોટ,તા.2
રાજકોટ સહિત રાજયભરની લોકસભાની 26 (એક બિનહરીફ) અને વિધાનસભાની પાંચ બેઠકોની આગામી તા.7 મેના આયોજીત કરાયેલ ચુંટણીના આડે હવે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ચુંટણીસભા ગજાવી રહ્યા છે.
જેમાં આવતીકાલે તા.3ને શુક્રવારના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે રાજકોટની મુલાકાત લઈ ત્રિકોણબાગ ખાતે સવારના 10 કલાકે જંગી જનસભાને સંબોધીત કરનાર છે. જયારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે બોટાદ ખાતે રોડ શો કર્યો હતો.
સુનીતા કેજરીવાલ તેમના નિર્ધારિત સમય કરતા બોટાદ ખાતે થોડા મોડા આવી પહોંચેલ હતા છતાં તેઓએ બોટાદ ખાતે જંગી રોડ શો કરી જનમેદનીનું અભિવાદન ઝીલ્યુ હતું. જયારે આવતીકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે રાજકોટની મુલાકાતે આવી પહોંચનાર છે જેઓ સવારના 10 કલાકે ત્રિકોણબાગ ખાતે સભા સંબોધન કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy