અમદાવાદ, તા. 1
કોરોનાની વેકસીન કોવિશિલ્ડથી લોહીના ગંઠા જામી જવાનું અને પ્લેટેટસ ઘટી જવાનું જોખમ હોવાની કંપનીની કબુલાત પછી ચૂંટણી ટાણે જ કોરોના રસીનો મુદ્દો ચગવા લાગ્યો છે. ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે કોરોનાની કોવિશિલ્ડ રસી મુદે સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા.
શકિતસિંહ ગોહિલે કહ્યું કે, રસીકરણ બાદ વિશ્ર્વ આરોગ્ય સંગઠનની ગાઇડલાઇન મુજબ સર્વે કેમ કરાયો ન હતો તેવો સવાલ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે ભારતમાં એમસીઆરઆઇ જેવી સંસ્થા હોવાથી ખાનગી કંપનીને કેમ કામ અપાયું હતું.
આ પ્રકારની બેદરકારીનો જવાબ માંગવાની સાથોસાથ તેમણે કહ્યું કે દુનિયાના અન્ય દેશો કરતા ભારતમાં કોરોના રસીની કિંમત વધુ હોવા વિશે પણ સરકારે જવાબ આપવો જોઇએ. સરકારે દેશમાં કોરોના રસીકરણ વિશે કોઇ ડેટા રાખ્યા નથી અને લોકોની કોઇ ચિંતા નહીં કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy