નવી દિલ્હી,તા.28
લોકસભા ચૂંટણી પુર્વે જ સરકારે એક મહત્વના નિર્ણયમાં ગ્રામીણ ક્ષેત્રે રોજગારી માટે અમલમાં રહેલી મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરેંટી યોજના (મનરેગા) હેઠળ શ્રમિકોને મળતા વેતનમાં વધારો કર્યો છે.
સરકારે બહાર પાડેલા જાહેરનામા મુજબ દરેક રાજયમાં હવે શ્રમિકોને વધુ મજૂરી મળશે. ગોવામાં 10.56 ટકાનો વધારો થયો છે જયારે ઉતરપ્રદેશમાં 3.4 ટકાનો વધારો થયો છે.
ગોવાના મનરેગા હેઠળના શ્રમિકોને રૂા.322 પ્રતિદિન મળતા હતા તે હવે રૂા.356 મળશે. કર્ણાટકમાં રૂા.316 સામે રૂા.349, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં રૂા.221 સામે નવા વેતન રૂા.243 મળશે.
હરિયાણા, આસામ, મણીપુર, અરૂણાચલપ્રદેશ, નાગાલેન્ડ, કેરળ અને લક્ષદ્વીપમાં પણ વધારો થયો છે. દેશમાં હાલ મનરેગા હેઠળ 14.28 કરોડ શ્રમિકો વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ આ પ્રમાણે વેતન મેળવે છે. કેન્દ્રીય બજેટમાં આ જાહેરાત કરવામાં આવી હતી તેથી તેને આચારસંહિતાનો અમલ નડશે નહી તેવું માનવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy