રાજકોટ તા.16
માનવને જીવતા રહેવા માટે શરીરમાં લોહી હોવું જરૂરી છે અને લોહી દ્વારા શરીરના દરેક અંગ સુધી પોષક તત્વો પહોંચે તે પણ જરૂરી છે અને શરીરમાં જો લોહી બનવાનું બંધ થાય તો તેને સિકલ સેલ એનિમિયા બિમારી તરીકે ઓળખાય છે. આ એક તબીબી ભાષામાં બ્લડ ડીસઓર્ડર પણ છે. જેનામાં લાલ રકતકણ પણ પ્રભાવિત થાય છે.
આ એક જીનેટીક રોગની સારવાર અત્યંત મોંઘી છે અને જો કે યોગ્ય રીતે ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે. આ વારસાગત બિમારી પણ છે અને માતા-પિતા તરફથી બાળકોને પણ વારસામાં મળી શકે છે. અત્યાર સુધી ભારતમાં આ જટીલ રોગની સસ્તી દવા ઉપલબ્ધ ન હતી તે સમયે દેશમાં આરોગ્યક્ષેત્રે વધુને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બને અને સામાન્ય વ્યક્તિને પણ વ્યાજબીદરે તે મળી શકે તે માટે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા દ્વારા થઈ રહેલા પ્રયાસોના ભાગરૂપે અને નીતિ આયોગના માર્ગદર્શન હેઠળ ત્યારે દેશની અગ્રણી ફાર્મા કંપની AKUMS DRUGS & PHARMACEUTICALS LIMIDED દ્વારા દેશમાં સર્વપ્રથમ સિકલ સેલ એનિમિયા સામે દર્દીને સારવાર માટે મદદરૂપ થાય તે માટેની દવા ઉપલબ્ધ બનાવી છે.
આ પ્રકારની દવાની વિદેશી બ્રાન્ડ અંદાજે રૂા.77 હજારમાં ઉપલબ્ધ બને છે અને તે પણ 2થી8 ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં રાખવી પડે છે તેની સામે કંપની દ્વારા રૂમ ટેમ્પરેચરમાં પણ જાળવી શકાય તેવી સિરપ Hydroxyurea ઉપલબ્ધ બનાવાયુ છે અને તે દવા સરકારને ફકત રૂા.600માં ઉપલબ્ધ બનાવશે જેના કારણે આ રોગ સામે લડવામાં દર્દીઓને મોટી રાહત થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy