દિવસના 8 કલાક કે તેવા ચોકકસ કલાકો ભોજન બાકીના સમયમાં ઉપવાસ પદ્ધતિ સામે પ્રશ્ન

વજન ઘટાડવા અપનાવાતી ઉપવાસની પેટર્ન હૃદયરોગથી મોતનું જોખમ વધારે છે

India, World, Health | 20 March, 2024 | 10:19 AM
અમેરિકા-ચીનમાં સંયુક્ત અભ્યાસ: વૈકલ્પિક દિવસ ‘ઉપવાસ’ની પદ્ધતિ સામે પણ ચેતવણી: ટુંકાગાળામાં વજન ઘટે તો પણ લાંબા ગાળે અનેક આરોગ્ય ચિંતાની શકયતા
સાંજ સમાચાર

નવી દિલ્હી: ઓબેસીટી... એટલે કે જાડાપણું દુનિયાનો રોગ બનવા લાગ્યો છે અને હવે બાળકોને પણ તે પ્રવેશી ગયો છે તે સમયે વજન ઘટાડવા, ચરબી ઓગાળવા અને તેની સાથે સંકળાયેલા રોગો સામે એક નવા ઈંટરમિટેટ-ફાસ્ટીંગ- એટલે કે દિવસના ચોકકસ કલાક જ ભોજન અને બાકીના સમય ઉપવાસ કે પછી એક દિવસ ભોજન અને બીજા દિવસે ઉપવાસ આ પ્રકારના વિકલ્પો અપનાવામાં ભારત અને વિશ્વના અનેક દેશોમાં ચલણ વધવા લાગ્યું છે.

અનેક ધર્મ સાથે પણ તેને જોડી દેવાયુ છે પણ હાલમાં જ અમેરિકન હાર્ટ એસો. દ્વારા થયેલા એક નવા અભ્યાસમાં આ પ્રકારના ઈંટરમિટેટ-ફાસ્ટ- એટલે કે નિશ્ચિત સમય સુધી કોઈ ભોજન ના લેવું અને તે દિવસના 8-16 કલાકનો ગાળો નિશ્ચિત કરવા કે વૈકલ્પિક દિને ઉપવાસ આ પ્રકારની પદ્ધતિ સામે ચેતવણી અપાઈ છે.

ઈંટરમિટેટ-ફાસ્ટના અનેક પ્રકાર છે જેમકે 24 કલાકના સમયમાં ફકત નિશ્ચિત આઠ કલાક ભોજન લેવું અને બાકીના 16 કલાક ‘ઉપવાસ’ જેવી સ્થિતિ રાખવી પણ શિકાગોમાં આ અંગે થયેલા અભ્યાસમાં જણાવ્યું કે આ રીતે લીમીટેડ ટાઈમ- ડાયેટરીની લાંબાગાળે હૃદયરોગ કે તેવી શારીરિક અને ઘાતક બની શકે તેવી સ્થિતિ બની શકે છે.

ઈંટરમિટેટ ફાસ્ટમાં શાંધાઈની જીઓ ટોંગ યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડીસીનમાં પણ અભ્યાસ કરાયો હતો જેમાં 20000થી વધુ વયસ્ક લોકોને સામેલ કરાયા હતા. અમેરિકા અને ચીનમાં થયેલા આ અભ્યાસ બાદ જણાવાયુ કે જેઓ 8 કલાકના ફાસ્ટીંગ શેડયુલ એટલે કે 16 કલાક કઈ ખાવું જ નહી તેવી રીતે વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે તેઓને હૃદયસંબંધી તકલીફ થવાના ચાન્સ 91% વધુ હોય છે.

જો કે આ અભ્યાસ એ તેમાં સામેલ કરાયેલા લોકોએ સ્વૈચ્છીક રીતે જે માહિતી આપી તેના આધારીત છે જેથી તેઓ ચોકકસતાનું તત્વ કદાચ જુદુ હોઈ શકે છે એટલું જ નહી તે ડાયેટ સિવાયના સમયમાં શું ખાય છે તેના પર પણ ઘણો આધાર રાખે છે.

ભારતમાં ફોર્ટીસ એસ્કોર્ટ હાર્ટ ઈન્સ્ટીટયુટના ડો. અશોક શેઠ સ્વીકારે છે કે આ પ્રકારના ફાસ્ટીંગથી ટુંકાગાળામાં તમો વજન ઘટાડવામાં સફળ થઈ શકો છો પણ તેની લાંબાગાળાની અસર અંગે હજું કોઈ ચોકકસ તારણ નથી.

કારણ કે લાંબાગાળામાં અનેક ફેકટર કામ કરે છે અને આ અભ્યાસ એ લાંબાગાળાની ફકત એક ઝાંખી જેવી સ્થિતિ જ દર્શાવે છે. આવી જ રીતે ફોર્ટીસના ન્યુરોલોજી વિભાગના હેડ ડો. કમલેશ્વર પ્રસાદ કરે છે.

આ પ્રકારના અભ્યાસમાં તારણ અગાઉથી જ અનેક વખત નિશ્ચિત કલાક માટે જ થતા હોય છે. પરંતુ આ પ્રકારના ઉપવાસ સલાહ ભર્યુ નથી પણ જે તે વ્યક્તિએ પોતાની સ્વસ્થ ભોજન પેટર્નને વળગી રહેવુ જોઈએ. તમો ફાસ્ટીંગના સમયમાં પણ ફળોના રસ કે તેવા પીણા વિ. લઈ શકો છો.

તમારા તબીબ કે ડાયેટીશન સલાહ ના આપે તો તમારુ હેલ્ધી શેડયુલ ચેઈન્જ કરવાની જરૂર નથી. આ પ્રકારે ફાસ્ટીંગ એ લાંબા ગાળે પોષણ તત્વોની ઉણપ સર્જી શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj