રાજકોટ,તા.1
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વિનામુલ્યે 113 (એક સો તેર) શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.1/7/ સોમવારથી તા.31/7 બુધવાર સુધી આયોજન કરેલ છે. આ વિનામુલ્યે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં દર્દીને જે -તે કેમ્પ સ્થળેથી વિનામૂલ્યે જ સંસ્થાની બસ દ્વારા લઈ આવવા તથા ઓપરેશન બાદ કેમ્પના સ્થળે પરત મુકી જવામાં આવશે. દર્દી રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો શુદ્ધ ઘીનો શીરો, દવા, ટીપા,ચશ્મા, તથા નેત્રમણી વિનામુલ્યે જ બેસાડી આપવામાં આવે છે.તો સર્વે દર્દી તથા જાહેર જનતાને નેત્રયજ્ઞ કેમ્પમાં ભાગ લેવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy