જામનગર તા.1: જામનગર જિલ્લાના કાલાવડ રોડ પર તોતિંગ ટ્રકની ઠોકરે ઇક્કો ચાલકનું કમકમટીભર્યુ મોત થયાનું સામે આવ્યું છે. કાલાવડ જુનાગઢ રોડ લોહિયાળ બન્યો હતો. જ્યાં મુળીલા ગામના પાટીયા પાસેની ગોલાઇ પર ટ્રક અને ઈકકો કાર વચ્ચે અકસ્માત બાદ ઇક્કો ચાલકનુ મોત થયું છે. આ અકસ્માતમાં 5 લોકોને ઈજા થયાનું બહાર આવ્યું છે. જેને લઈન તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.
વિગત અનુસાર ગત શનિવારે કાલાવડ જુનાગઢ રોડ ઉપર આવેલ મુળીલા ગામના પાટીયા પાસે ટ્રક અને ઈકકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ટ્રક રજી. નં.જીજે.-03-BV-0737 ના ચાલકે કાલાવડ તરફ આવતા સામે ઇકો ગાડી રજી.નં. જીજે.-27-CF-1764 ને ઠોકરે લીધી હતી. જેમાં કાળમુખા ટ્રકની ઠોકરે ઇકો ગાડીમાના ચાલાક મહમદ ઇબ્રાહીમ અબુભાઇ બકરીવાલાને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી.
જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જોકે આ દરમિયાન ઈજા જીવલેણ સાબિત થતા ચાલકનું મોત થયાનું સામે આવ્યું હતું. એટલું જ નહિ ઇક્કોમાં સવાર અને પેસેન્જર ને પણ ઈજા થયાનું સામે આવ્યું છે. આ પ્રકરણની ઇક્કો કારના માલિક સિકદર હુશેનભાઇ મકવાણા (ઉ.વ.37 ધંધો-પ્રા.નોકરી રહે. મોરકન્ડા રોડ સનસીટી-2 શેરી નં.2 જામનગર) એ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy