રાજકોટ તા.1
નિવૃત સફાઈ કર્મી ચમનભાઈ વાઘેલાનું બીમારી સબબ મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમન નગર પોલીસને જાણ કરી હતી.બનાવની વિગત અનુસાર ચમનભાઈ છગનભાઈ વાઘેલા (ઉ.વ.56, રહે. જામનગર રોડ, આવાસ ક્વાર્ટરમાં) તેઓ ગઈ કાલ સવારે પોતાનાં ઘરે હતાં ત્યારે અચાનક બેભાન થઈ જતાં તાકિદે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો. તેઓને લીવરની બીમારી હતી. તેઓ રાજકોટ કોર્પોરેશનમાં સફાઈ કામદારની નોકરી કરતાં હતાં અને હાલ તેઓ નિવૃત્ત જીવન જીવતા હતા. મૃતક છ ભાઈમાં બીજાં નંબરના હતાં તેમજ તેઓને સંતાનમાં એક દિકરો અને એક દિકરી હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy