રાજકોટ,તા.1
બલસાણા તિર્થ સ્વરૂપ શ્રી વિમલનાથ સ્વામિ જૈન દેરાસર રાજકોટનાં આંગણે આ. દેવ શ્રી જયશેખરસુરીશ્ર્વરજી મ.સા. આદી ઠાણાની સંઘમાં પધરામણી પ્રસંગે સર્વેને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે. કાર્યક્રમની રૂપરેખા જેઠ વદ 12, બુધવાર તા. 3/7/ર0ર4 સામૈયું સવારે 7:1પ કલાકે સિલ્વર કલાસીક એપાર્ટમેન્ટ, અમીન માર્ગ કોર્નર થી વિમલનાથ જિનાલય થઈ એફિલ ટાવર પધારશે.. તે જ સ્થળે સવારે 7:40 કલાકે માંગલિક ફરમાવશે. કાર્યક્રમ પૂર્ણ થયે તે જ સ્થળે નવકારશી રાખેલ છે. નવકારશીના પાસ સામૈયા દરમ્યાન આપવામાં આવશે. માંગલિક અને નવકારશીનું સ્થળ એફિલ ટાવર, ભગવાન વિમલનાથ માર્ગ(જાનકી પાર્ક મેઈન રોડ), વિમલનાથ જિનાલય ની સામે, રાજકોટ છે.
નવકાર શી નાં લાભાર્થી વસંતબેન હસમુખલાલ શિવલાલ શાહ તથા પ્રભાવનાના પુનિત લાભાર્થી ભાવનાબેન પ્રફુલભાઈ શેઠ પરિવાર સપાણી પરિવાર વાંકાનેરવાળા સિલ્વર કલાસીક પરિવાર છે. જિનાલય ડેકોરેશન ના લાભાર્થી ભાવનાબેન પ્રફુલભાઈ શેઠ પરિવાર(અરિહંત સાડી) છે. સાંજે 8:30 કલાકે આંગી, સમુહ આરતિ, પ્રભાવના રાખવામાં આવેલ છે. જેમનાં લાભાર્થી ભાવેશભાઈ જયવંતભાઈ મહેતા પરિવાર છે. સકળ સંઘના ભાઈઓ બહેનોને પઘારવા વિપુલભાઈ દોશીએ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy