જામનગર તા.4
જામનગરમાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને 47 દિવસમાં આચારસંહિતા ભંગની 70 ફરિયાદ નોંધાઈ છે. જેમાં સંબધિત ફરિયાદીએ :નિયમ વિરૂધ્ધ લાગેલા રાજકીય પક્ષોના પોસ્ટર, બેનર સહિતના ફોટા પાડી જુદી-જુદી સરકારી એપ્લીકેશન, પોર્ટલ અને ઈ-મેઈલમાં આવેલી તમામ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યાનો જિલ્લા ચૂંટણીતંત્રએ દાવો કર્યો છે. રાજકીય પક્ષો દ્રારા નિયમ મુજબ સરકારી અને ખાનગી મિલકતો પરના ચિત્ર, પોસ્ટર અને બેનરો દૂર ન કરતા તંત્રએ હટાવી આચારસંહિતાની કડક અમલવારી કરી છે.
જામનગર જિલ્લા ક્ધટ્રોલ રૂમમાં પહેલી મે સુધીમાં ચૂંટણી કાર્ડમાં નામ, સરનામા સહિત અન્ય વગતો તેજમ ઇલેક્ટ્રોલ રોલની ચોકબંધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં 1950 વોટર હેલ્પ લાઈન ઉપર 311, નેશનલ ગ્રીવેન્સ સર્વિસ પોર્ટલ પર 167, ટોલ ફ્રી નંબર પર 2 ફરિયાદનો અમાવેશ થાય છે. આ તમામ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે.
તેમજ જાહેર ખાનગી મિલકત પરથી લખાણ 2355,પોસ્ટર 1736,બેનર 1344જ્યારે અન્ય 1926 દૂર કરવામાં આવ્યા હતા.
લોકસભાની ચૂંટણીની જાહેરાત ગત તા.16-3-2024ના ચૂંટણીપંચ દ્રારા આદર્શ આચારસંહિતાની અમલવારી કરી સૂચારું અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી અને મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્રારા ફરિયાદો માટે મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે જિલ્લા કલેકટર કચેરીના મેઇલ આઈડી, નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ, સીવીજીલ એપ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, 1950 હેલ્પ લાઇન નંબર, સ્ટેટ અને ડીસ્ટ્રીકટ કંટ્રોલ રૂમ, ટોલ ફ્રી નંબર 18002333681 પર આચારસંહિતા ભંગ સહિતની ફરિયાદ લોકો કરી શકે છે. જામનગર શહેર-જિલ્લામાં 16-3 થી 29-4 સુધી નિયમ મુજબ, આચારસંહિતાના અમલના 72 કલાક પછી પણ રાજકીય પક્ષોએ સરકારી અને ખાનગી મિલક્ત પર લખેલા લખાણ, પોસ્ટર, બેનર મળી કુલ 6400થી આ પ્રકારની ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી’ શહેરમાં મહાનગરપાલિકા અને જિલ્લામાં 6 તાલુકા વિકાસ અધિકારી અને 4 ચીફ ઓફીસર દ્રારા કરવામાં આવી હતી. આચારસંહિતાની ફરિયાદો અને તેના નિકાલ માટે તંત્ર દ્રારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે નોડલ ઓફીસરની નિમણૂંક પર કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy