નવી દિલ્હી, તા.5
આગામી સમયમાં વંદે ભારત અને સેમી હાઇસ્પીડ ટ્રેન ભારતમાં બનેલ ફોર્જ વ્હીલ પર દોડશે. કેન્દ્ર સરકાર મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ચેન્નાઇમાં ફોર્જ રેલ વ્હીલ કારખાનુ શરૂ કરશે. વડાપ્રધાન મોદી 8 માર્ચે કારખાનાનો શિલાન્યાસ કરશે. આ અવસરે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહેશે. કારખાનામાં બનનાર ફોર્જ વ્હીલ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હશે. દર વર્ષે એક લાખથી વધુ ફોર્જ વ્હીલની નિકાસ કરવામાં આવશે.
રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતીય રેલ એક લાખ ફોર્જ વ્હીલ બ્રિટન, રોમાનિયા બ્રાઝીલ, જાપાન, ચીન, રશિયા અને યુક્રેનથી આયાત કરે છે. 1960માં એસએચબી ટેકનિકવાળા કોચ આવ્યા બાદ આ ક્રમ ચાલુ રહ્યો છે. પણ હવે ભારતમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ચેન્નાઇમાં આંતરરાષ્ટ્રીય સ્તરતા ફોર્જ વ્હીલનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2026 સુધીમાં કારખાનામાં દર વર્ષે બે લાખ ફોર્જ વ્હીલનું ઉત્પાદન શરુ થઇ જશે. તેની ક્ષમતા વધારીને 2.5 લાખ દર વર્ષ કરવામાં આવશે. કારખાનુ લગાવવા માટે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આથી ભારતીય રેલને દર વર્ષે એક લાખ ફોર્જ રેલ પૈડાઓની જરૂર પુરી થશે, જ્યારે એકથી દોઢ લાખ વ્હીલની નિકાસ પણ થશે.
શું છે ફોર્જ વ્હીલ?
ફોર્જ વ્હીલ બનાવવાની રીત અલગ હોય છે. તેમાં પૈડાને આકાર દીધા બાદ હાઇપ્રેસર પર વારંવાર દબાવવામાં આવે છે, જેથી વ્હીલમાં કોઇપણ પ્રકારનું વેક્યુમ અથવા હવા હોવાની સંભાવના પૂરી રીતે ખતમ થઇ જાય છે. તેનું રી-પ્રોફાઇલીંગ વારંવાર નથી કરવી પડતી. આ પૈડુ સેમી હાઇસ્પીડ (160-200 કિ.મી. દર કલાક)ની ગતિએ દોડવા માટે યોગ્ય હોય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy