અત્યારે સખ્ત ગરમી અને લુને કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને નાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે. અત્યારે જ્યારે ધૂપમાં અને ખાસ કરીને ‘લુ’ વખતે બહાર હો, ત્યારે જે ફળોમાં વધુને વધુ પાણીનો ભાગ હોય અને જે વિટામીન્સ પણ આપે તેવો ફળોનો ઉપયોગ વધુ કરવો જોઇએ. આ ફળો તમને હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે. સાથે સાથે શરીરમાં ઠંડક આપે છે અને તમને તાજા રાખે છે.
* તરબૂચ અને તરબૂચમાં 80 થી 90 ટકા પાણી હોય છે. આ ખાવાથી માત્ર હાઇડ્રેટેડ રહેવામાં જ મદદ નથી થતી, પરંતુ તે શરીરને ઠંડુ અને તાજુ પણ રાખે છે. આ ફળો હાઇ બીપીને કંટ્રોલ કરવા ઉપરાંત હૃદયને પણ સ્વસ્થ રાખે છે. તેમાં મળી આવતા પોષક તત્વો શરીરને અનેક રીતે લાભ આપે છે.
* 100 ગ્રામ તરબૂચમાં પાણીનું પ્રમાણ 90.15 ટકા છે. તરબૂચમાં વિટામીન એ અને સી હોય છે. આ ખાવાથી આંખોની રોશની મજબૂત થાય છે.
* દ્રાક્ષમાં લાઇકોપીન હોય છે જે તત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાનિકારક અસરોથી બચાવે છે. 100 ગ્રામ દ્રાક્ષમાં 84.29 ગ્રામ પાણી હોય છે. દ્રાક્ષમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વદારવામાં મદદ કરે છે તે મદદરૂપ છે.
* કાકડીઓ લગભગ 96% પાણીથી બનેલી હોય છે. તેમાં કેલરી પણ ઓછી હોય છે અને તે વિટામિન અને ફાઇબરની સ્ત્રોત છે. ટામેટા લગભગ 95% પાણીથી બનેલા હોય છે. ટામેટા પણ વિટામિન એ નો સારો સ્ત્રોત છે જે તમારી ત્વચા, આંખો અને રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ છે.
* નારંગીમાં 86% પાણી હોય છે. તેમાં વિટામિન સી મળી આવે છે. તે એક એન્ટીઓક્સિડન્ટ છે. જે સ્નાયુઓ, હાડકા, કરોડરજજુ, ધમનીઓ અને ત્વચાની સંભાળ રાખવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy