(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.25
ગુજરાતનાં જુદા જુદા શહેરોમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. જ્યાં-જ્યાં સ્માર્ટ મીટરો લાગવામાં આવે છે ત્યાં ગ્રાહકો દ્વારા આ પ્રી-પેઈડ મીટરમાં વધારે રકમનું બોલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામેલ છે. તેના સંદર્ભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પી.જી.વી.સી.એલ.નાં મેનેજીંગ ડીરેક્ટરને પત્ર પાઠવી આ સમસ્યાનું નિરાકરણ કરવા રજૂઆત કરવામાં આવેલ છે.
ચેમ્બર દ્વારા સદર પત્રમાં જણાવવામાં આવેલ છે કે જુના સ્ટેટેટીક મીટરનું બીલ પ્રી-પેઈડ મીટરમાં કેરીફોરવર્ડ કરવામાં આવે તો એક દિવસમાં પ્રી-પેઈડ મીટરનુ રીચાર્જ સમાપ્ત થાય છે. તેથી જો સ્ટેટેટીક મીટરનું અલગ બીલ આપવામાં આવે તો ગ્રાહકોને આ બાબતે કોઈ મૂંઝવણ રહેશે નહિ.
આ ઉપરાંત ચેમ્બર દ્વારા પી.જી.વી.સી.એલ.ને પાઠવેલ પત્રમાં સૂચન કરવામાં આવેલ છે કે વીજ કંપની દ્વારા ગુજરાતની તમામ ચેમ્બરને સાથે રાખી નવી નીતિ અંગે માહિતી માર્ગદર્શન આપવામાં આવે તો પ્રી-પેઈડ મીટરના સંદર્ભમાં જાહેર ફરિયાદોનાં ઉકેલ લાવવામાં ચેમ્બર પણ મદદરૂપ થઇ શકે. સદર પત્રની નકલ જાણકારી અર્થે ભાવનગર સર્કલનાં ચીફ એન્જીનીયરને પણ મોકલવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy