નિર્જરા એકાદશી 18 જુન, આજે છે. વર્ષની તમામ એકાદશીઓમાં નિર્જલા એકાદશી સૌથી મોટી ગણાય છે. એવું માનવામાં આવે છે કે જે નિર્જલા એકાદશીનું વ્રત પૂર્ણ ભકિતથી કરે છે. તેને જીવન અને મૃત્યુના બંધનમાંથી મુકિત મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. દાન અને પુણ્યનું પણ નિર્જલા એકાદશીનું ઘણું મહત્વ છે. જો તમે નિર્જલા એકાદશી પર દાન કરો છો, તો તે મોક્ષના દ્વાર ખોલે છે. સાથે જ નિર્જલા એકાદશી પર કેટલાક ખાસ ઉપાય કરવાથી પણ જીવનમાં સુખ-સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે. આવો, ચાલો જાણીએ કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નિર્જલા એકાદશી પર કયાં ઉપાય કરવા જોઇએ.
ભગવાન વિષ્ણુ, માતાને તુલસીના પાન અર્પણ કરો
લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા ખુબ જ જરૂરી છે. ભગવાન વિષ્ણુએ સૌભાગ્ય આપનારના રૂપમાં જોવામાં આવે છે. આનો અર્થ એ છે કે જો તમારૂ ભાગ્ય મજબુત છે. તો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે. નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી મંજરી અર્પણ કરો. તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા, વરશે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થશે.
નિર્જલા એકાદશી પર લક્ષ્મી સુકતનો પાઠ કરો
નિર્જલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સુર્યોદય સમયે લક્ષ્મી સુકત અને શ્રી સુકતનો પાઠ કરવો. તે શુભ માનવામાં આવે છે. આ ઉપાય નિર્જલા એકાદશીથી શરૂ કરીને 108 દિવસ સુધી આ સ્તોત્રોને દિવસમાં 1 વખત સુધી પાઠ કરવાથી તમામ આર્થિક મુશ્કેલીઓ દુર થાય છે.
તમારા પર્સમાં ચાંદીનો સિકકો રાખો
નિર્જલા એકાદશી પર દેવી લક્ષ્મીના આશિર્વાદ મેળવવાનો એક ઉપાય છે.
નિર્જલા એકાદશીની સવારે પુજા કરવી અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને ચાંદીનો સિકકો અર્પણ કરવો. પછી પારણા પછી બીજા દિવસે આ ચાંદીના સિકકાને પ્રસાદ તરીકે તમારા પર્સમાં રાખો.
તેનાથી જીવનમાં આર્થિક સમૃધ્ધિ આવશે.
નિર્જલા એકાદશી પર દર વખતે આ એક વસ્તુ તિજોરીમાં રાખો આ ઉપાય શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. નિર્જલા એકાદશીના દિવસે અશોક વૃક્ષના મુળને તિજોરીમાં રાખો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy