રાજકોટ,તા.31
વૈશાખ વદ અગીયારસને રવિવારે તા. 2-6-24 નાં દિવસે અપરા એકાદશી છે. અપરા એકદશી નું વ્રત કરવાથી જો કોઈ પિતૃ પ્રેતગતીમાં હોય તેમને મોક્ષ મળે છે.
વ્રત વિધિ તથા મહત્વ વ્રતવિધિ: સોમવારે સવારે વહેલા ઉઠી નિત્ય ક્રમમાં ન્હાવાનાં જળમાં ગંગાજળ પધરાવી સ્નાન કરવું. ત્યાર બાદ નિત્ય પુજા કરી અને બાજોઠ ઉપર પીળુ વસ્ત્ર પાથરી અને તેનાં ઉ52 વિષ્ણુ ભગવાનની છબી પધરાવી બાજુમાં ઘીનો દિવો કરવો તથા બાજુમાં ત્રાંબાનાં લોટા અથવા કળસ પાણીનો ભરી તેમાં અબીલ, ગુલાલ, કંકુ પધરાવી અને તેમાં આસોપાલવનાં પાંચ પાન પધરાવવા, સોપારી, રૂપિયો પધરાવવો અને તેની ઉપર આડુ શ્રીફળ રાખવું. આ કળસ ભગવાનની છબીની આગળ પધરાવવો. વિષ્ણુ પંચ ભગવાનની છબીને ચાંદલો-ચોખા કરી પોતે કરવા અને ફુલ પધરાવી અને અબીલ, ગુલાલ, કંકુ, ધુપબતી અર્પણ કરવી. નૈવેદ્યમાં મીઠાઈ તથા કાકડી ખાસ ધરાવી આરતી કરવી અને વિષ્ણુ સહશસ્ત્ર નામના જેટલા નામ બોલાઈ તેટલા બોલવા. અને ત્યાર બાદ પોતાનાં ઈષ્ટદેવ ની માળા કરવી.
પિતૃને પ્રાર્થના કરવી અને એકાદશીની વ્રત કથા વાંચવી અથવા સાંભળવી. રાવવારે સાંજ ના સમયે ભગવાનનાં કિર્તન કરવા, બ્રાહ્મણને દાન-દક્ષિણા આપવી તથા દિવસ દરમ્યાન નિંદ્રા કરવી નહી, ઉપવાસ અથવા એકટાણું કરવું. મંગળવારે સવારે વહેલા ઉઠી અને નિત્યકર્મ કરી સૌ પ્રથમ સી સ્થાપના પાસે બેસી અને જમણા હાથમાં જળ લઈ અને વિષ્ણુ લો ભગવાનને પ્રાર્થના કરવી કે મેં અપરા એકાદશીનું વ્રત કરેલું છે.
આ વ્રતનું ફળ હું મારા પિતૃઓને અર્પણ કરૂં છું. જો કોઈ મારા પિતૃ પ્રેતગતી માં હોય તો તેને મોક્ષગતી ની પ્રાપ્તિ થાય. ત્યારબાદ હાથમાં લીધેલ જળ ભગવાન પાસે મુકવું અને કળસ નું પાણી આખા ઘરમાં વિષ્ણુ ભગવાનનું નામલઈ છાંટી દેવું. શ્રીફળ ભગવાન ના મંદિરે પધરાવવું આમ વ્રતની પૂર્ણાહુતિ કરવી,સોમવારે વૈષ્ણવપંથીની અપરા એકાદશી છે.
(શાસ્ત્રી રાજદીપ જોશી ( વેદાંત રત્ન)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy