રાજકોટ,તા.6
ન્યાયના દેવતા શનિ મહારાજની આજે જયંતી છે.સૌરાષ્ટ્રના હાથલામાં આજે વિશાળ સંખ્યામાં લોકો શનિદેવની ભકિત કરવા પહોચ્યા છે.આજના દિવસે કરવામાં આવતી શનિદેવની ભકિત અત્યંત ફળદાયક બને છે. જયાં જયાં શનિદેવના મંદિરો આવેલા છે ત્યાં ભકતોની ભીડ જોવા મળી રહી છે.
શનિ જયંતીના હનુમાનજી મહારાજની પૂજા પણ લાભકારી છે.આજે હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ કરવા લાભ દાયી રહેશે આજે શનિજયંતીના કાળા વસ્ત્રો, કાળી અડદની દાળ, કાળા ચપ્પલ, કાળા તલ, કાળી છત્રીનું દાન લાભદાયી છે. મહાદેવના મંદિરો છે ત્યાં ભકતોનો પ્રવાહ પણ ઉમટી રહ્યો છે.
રાજકોટના જયુબેલી બાગમાં આવેલ નવગ્રહ મંદિરમાં વહેલી સવારથી જ ભકતોની કતાર શનિદેવની પૂજા-અર્ચન માટે જોવા મળી રહી છે. આજે રોહિણી નક્ષત્રમાં શનિ જયંતી આવતી હોવાથી અધિક લાભદાયી બનશે.રાજકોટમાં આવેલા શનિ મંદિરોમાં ભકતો પૂજા-અર્ચના કરીને શનિદેવની ભકિત કરશે. આજે આખો દિવસ ભકતોની ભીડ શનિ મંદિરોમાં જોવા મળશે.
ઉપરોકત તસ્વીરો રાજકોટના જયુબેલી બાગમાં આવેલા નવગ્રહ મંદિરની છે. પ્રથમ શનિ મહારાજની પ્રતિમાં જોવા મળે છે બીજી તસ્વીર પૂજન અર્ચન કરતા ભાવિકો જોવા મળે છે. (તસ્વીર: દેવેન અમરેલીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy