ન્યાય અને કર્મપ્રધાન દેવતા: શનિદેવ

Dharmik | Rajkot | 06 June, 2024 | 04:14 PM
આજે શનિ જન્મોત્સવ છેે : નવગ્રહોમાં શનિદેવનું સ્થાન પ્રમુખ છે. શનિદેવ કર્મના હિસાબે જ ફળ આપે છે અને તેમની કૃપાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે
સાંજ સમાચાર

રાજકોટ,તા.6
વિશ્વના મેજીસ્ટ્રેટ શનિદેવનો જન્મદિવસ વૈશાખ અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. તેમના જન્મ વિશે એક પૌરાણિક કથા છે કે એક પત્ની સંજ્ઞાએ પોતાના પતિના અસહ્ય તેમને સહન ન કરી શકવાના કારણે પોતાના શરીરથી છાયા નામની ખુબજ સુંદર સ્ત્રીની રચના કરી અને કહ્યુ કે તમે મારા પતિ (સૂર્ય)ની સેવા કરો અને મારા બાળકોને માતાની જેમ પ્રેમથી ઉછેરજો છાયાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. ત્યારબાદ સંજ્ઞા પોતાના પિતા વિશ્ર્વકર્માના ઘરે ગઈ પણ પતિની આહગ લીધા વિના આવેલી પુત્રીને પોતાના ઘરમાં પ્રવેશ ન આપ્યો.અને પાછા ચાલ્યા જવાનું કહ્યું સંજ્ઞા જંગલ તરફ ચાલી ગઈ અને પોતાનું રૂપ બદલી થોડી રૂપે જંગલમાં વિચરલા લાગી તે સમયે સૂર્યદેવ આ રહસ્યની જાણ થઈ નહોતી અને તે છાયાને જ સંજ્ઞા સમજીને આદરપૂર્વક પૂર્વવત વ્યવહાર કરતા રહ્યા.

થોડા સમય પછી તેમણે મનુને સમાન તેજસ્વી, પરાક્રમી પુત્રને જન્મ આપ્યો.જે સાવર્ણિના નામથી વિખ્યાત થયો.તે ઉપરાંત શનિ નામનો એક પુત્ર હતો તથા વિશિષ્ટ અને તપની નામની બે ક્ધયાઓને પણ સૂર્યદેવે છાયાને સંજ્ઞા સમજીને ઉત્પન્ન કરી એટલા માટે શનિદેવને છાયાપુત્ર પણ કહેવામાં આવે છે.કાલાંતરમા આ રહસ્યની જાણકારી થયા બાદ સંજ્ઞા સૂર્યના તેજને સહન કરી શકતી નહોતી. એટલા માટે તેણીએ આવુ કર્યુ તેના પિતા વિશ્ર્વકર્મા ખૂબજ દુ:ખી થયા અને તેમણે સૂર્યને તેના અસહ્ય તેજને ઘટાડવાની પ્રાર્થના કરી જે સૂર્ય ભગવાને ખુશીથી સ્વીકારી મત્સ્ય પુરાણ અનુસાર વિશ્વકર્માએ તેમને પોતાના ભૂમિયંત્ર પર બેસાડયા અને તેજથી તેણે શિવનું ત્રિશૂળ ઈન્દ્રનું અને વિષ્ણુનું ચક્ર સુદર્શન બનાવ્યું.

થોડા દિવસોમાં સૂર્ય સંજ્ઞાને શોધી અને પુન:પ્રાપ્ત કરી.શનિથી શનિદેવ બનવાની સફર તેમના માતા-પિતા સાથે બનતી આવી ઘટનાઓથી દુ:ખી થઈને શનિ કાશી ગયા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી તેમની દીર્ઘકાલીન કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને શિવે તેમને ગ્રહોમાં સ્થાન આપીને આશીર્વાદ આપ્યા અને તેમને દિવ્યતા આપી, તેમને શનિદેવમાં રૂપાંતરિત કર્યા અને તેમને નશ્વર જગતના મેજિસ્ટ્રેટની નિમણુંક કરી અને કહ્યું વત્સ! તું સજા આપે છે. પૃથ્વીના જીવો તેમના સારા અને ખરાબ કાર્યો અનુસાર ન્યાય આપે છે. ત્યારથી શનિદેવ તેમની તીક્ષ્ણ દ્રષ્ટિ સતી દૈયા, મહાદશા અંતર્દશા, પ્રત્યન્તર્દશા, સુક્ષ્મ દશા અને પ્રાણદશા, દ્વારા પૃથ્વીના લોકોને તેમના શુભ અને અશુભ કર્મોનું ફળ પ્રદાન કરે છે. 

અશુભ પ્રભાવથી બચવાના ઉપાય: સાચા માર્ગપર ચાલવું જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, વૃદ્ધોની સેવા કરવી, શનિદેવનું કવચ ધારણ કરવું, સ્તોત્રો, વૈદિક લૌકિક અને તાંત્રિક મંત્રોનો પાઠ કરવો, પીપળના વૃક્ષની પૂજા, પરિક્રમા,આરોપણ શનિદેવ ભકતો પ્રસન્ન થાય છે ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો વૃક્ષની પૂજા કરવી વગેરે પ્રવૃતિઓ ઘી સ્વતંત્રતા અને ઈચ્છિત પરિણામો આપે છે.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj