રાજકોટ,તા.28
ગોંડલ ગચ્છાધિપતિ નિદ્રાવિજેતા એકાવતારી, પૂ.પરમોપકારી આચાર્ય ભગવંત બાહ્મ.પૂ. શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબની 204 મી પૂણ્યતિથિનો અવસર ગત તા.19ને રવિવારે ગોંડલ સંધાણી સંપ્રદાયનાં પૂ. ઉષાબાઈ મહાસતીજી, હીરક શિશુ બા.બ્ર.પૂ. જ્યોતિબાઈ મહાસતીજી, પૂ.તરૂબાઈ મહાસતીજી, પૂ.જયોતિબાઈ મહાસતીજી, બેનસ્વામી પૂ.સ્મિતાબાઈ મહાસતીજી આદી 21 સતીવૃંદનાં સાંનિધ્યમાં શ્રધ્ધાના મેરુ સમા, સ્વનામ ધન્ય પૂ.ગુરુદેવશ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબની 204 મી પૂણ્યતિથિ પ્રસંગે ડુંગર દરબારમાં સવારનાં 7 કલાકે પૂ. ગુરુદેવની પવિત્ર ગાદી સન્મુખ વિશાળ માનવ મહેરામણ સર્વે સતી વૃંદો એ ગુરુ સ્તુતી, ગુરુનામ જાપ આરાધના સાથે ગુરુદેવોનો જય જયકાર ગુંજયો. ત્યારબાદ બેનાણી વાડીમાં યેશુબેન શેઠ દ્વારા નવકારશીનો સહુએ લાભ લીધો. ત્યારબાદ ગોંડલનાં રાજમાર્ગો પર ભગવાન મહાવીર સ્વામીનો જય જયકાર તથા પૂ.ડુંગર ગુરુનાં જય જયકાર સાથે ગોંડલ મહાજન પાંજરાપોળમાં પૂ.હિરક ગુરુણીનાં જન્મોત્સવ તથા પૂણ્યતિથિ ઉત્સવ નિમિતે શાલીભદ્ર સરદારનગર સંઘ, ગીતગુર્જરી સંઘ, હીરક આરાધના ભુવન સદગુરૂ રાજકોટ તથા બીનાબેન અજયભાઈ શેઠ દ્વારા જીવદયાની માતબર રકમોની તકતી અનાવરણ કરી ડુંગર દરબાર ભોજરાજપરામાં ગુરુભકિત મહોત્સવ થયો.જ્યાં પૂ.સ્મિતાબાઈ મહાસતીજીએ પૂ.ગુરુદેવ ડુંગરસિંહજી મહારાજ સાહેબનાં જીવન ઉપર સુંદર પ્રકાશ પાડયો. પૂ. સાધનાબાઈ મહાસતીજીએ પણ સુંદર ભાવ ફરમાવ્યા. પૂ.હિરક ગુરુભકત ઉદાર દીલ રમેશભાઈ ધડુકે પોતાની ગુરુ ભકિતની ભાવના વ્યકત કરી મધુરકંઠી સુચિત્રાબેન મહેતાની ટીમે સરસ ભકિત કરાવી જેમાં શ્રોતાઓ ભાવપૂર્વક ઝુમયા, ત્યારબાદ બપોરે શ્રી રમેશભાઈ ધડુક પ્રેરીત ગૌતમ પ્રસાદનો લાભ હજારો ભાવિકોએ લીધો.
ત્યારબાદ તા.21,22,23 ત્રિદિવસીય તપ મહોત્સવ યોજાયો. જેમા એકાસણાનો લાભ ચિ.ધારા જીતેન્દ્રભાઈ બેનાણી દ્વારા લેવામાં આવ્યો. અનુમોદના અનેક ભાવિકો દ્વારા કરવામાં આવી, ગુરુ પૂનમ નિમિતે શ્રી ભાવેશભાઈ, અ.સૌ. મમતાબેન, અ.સૌ. મોહનીબેન, ભાવનાબેન વિગેરે તપસ્વીઓ વર્ષિતપની સુંદર સાધના કરેલ. આ ગુરુભકિત મહોત્સવમાં રાજકોટનાં નેમીનાથ વિતરાગ સંઘ સહીતનાં અનેક સંઘોનાં ભાવિકોએ પધારી લાભ લીધેલ હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy