નવી દિલ્હી, તા.28
પાટનગરના શરાબ કાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી રીમાન્ડ કે પછી જયુડીશીયલ કસ્ટડી તે અંગે થોડીવાર જ ચુકાદો આવશે. આજે પાટનગરની રાજેન્દ્ર એવન્યુ કોર્ટમાં કેજરીવાલને રજુ કરાયા હતા. તેમની રીમાન્ડ આજે પૂરી થતા જ ઇડી દ્વારા વધુ એક વખત કેજરીવાલના સાત દિવસના રીમાન્ડ માંગવામાં આવ્યા હતા.
જયારે કેજરીવાલના ધારાશાસ્ત્રીએ તેનો વિરોધ કરતા જણાવ્યું કે દિલ્હીમાં શરાબ કાંડનો સમગ્ર કેસ ખોટી રીતે તૈયાર કરાયો છે અને તેથી જ કેજરીવાલને રીમાન્ડ મળવા જોઇએ.
જોકે ઇડીએ દાવો કર્યો કે, શરાબકાંડના નાણા ગોવાની ધારાસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા છે અને તેમાં ગોવાના એક વ્યકિતની સામે કેજરીવાલને બોલાવીને પુછપરછ કરવી જરૂરી છે આ પછી કોર્ટે તેમનો ચુકાદો મુલત્વી રાખ્યો છે અને ગમે તે ઘડીએ આ અંગે નિર્ણય આપશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy