(જીગ્નેશ ભટ્ટ)
મોરબી, તા.3
વડગામના કોંગ્રેસના ધારાસભ્ય મોરબીમાં છે અને તેમણે મોરબી જીલ્લામાં ગામ તળ માં 100 વરિયા પ્લોટ માટે હેરાન થતાં પરિવારોને ન્યાય માટે કલેક્ટરને રજૂઆત કરી હતી.
તેની સાથે માલીકીની જમીનને લાગતા પ્રશ્નો, અધિકારીનોના હુકમ પછી પણ વર્ષો સુધી ઘર વિહોણા લોકોને પ્લોટ ન આપવા સહિતના સવાલો કર્યા હતા અને મોરબીમાં કલેક્ટર તંત્ર ખાડે ગયેલ છે તેવો આક્ષેપ કર્યો હતો રજૂઆતમાં કેટલું કામ કર્યું તેની ઉઘરાણી કરવા માટે તે એક પખવાડિયા પછી મોરબી આવશે અને જો કામ નહીં થયું હોય તો તે અહી અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.
સમગ્ર ગુજરાતમાં બનેલ ગોજારી ઘટનાઓના પીડિતોની હાલમાં કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો મુલાકાત કરી રહ્યા છે તેવામાં આજે કોંગ્રેસનાં ધારાસભ્ય સહિતના આગેવાનો તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સહિતના હોદેદારો મોરબીના સર્કિટ હાઉસે બેઠા હતા.
ત્યારે મોરબી તાલુકામાંથી જુદાજુદા ગામના અરજદારો તેમની પાસે આવ્યા હતા અને તેઓના પ્રશ્નોને સાંભળ્યા હતા ત્યારે બાદ અરજદારોને સાથે રાખીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા.
ત્યારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગરીબોને ગામતળમાં 100 વરિયા પ્લોટ આપવામાં આવતા નથી, સાથણીની જામીનમાં કૌભાંડ, કબ્જા વળી જામીનને લીઝમાં આપી દેવી અને જીલ્લામાં કામ કરતાં આઉટ શોર્સના કર્મચારીઓનું શોષણ થાય છે તો શ્રમ અધિકારી દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તે સહિતના પ્રશ્નોનો તેમણે કલેક્ટર સમક્ષ ઢગલો કર્યો હતો અને કલેકટર કચેરી બહાર બે વર્ષથી પ્લોટ માટે આંદોલન કરનારા અરજદારોને કેમાં પ્લોટ આપવામાં આવતા નથી ?
આટલું જ નહીં મકનસર ગામના લોકોએ સાત મહિનાથી પ્લોટ માટે અરજી કરી છે તો તેનો નિકાલ કેમ કરતાં નથી ? ચાંચપર, કાલિકનગર, ટંકારાના નેસડા સુરજી સહિતના જમીન અને પ્લોટને લગતા પ્રશ્નો અધિકારી સામે મૂકીને તંત્ર વાહકોની કામગીરી સામે અણીદાર સવાલો કર્યા હતા અને જો આ લોકોને પ્રશ્નોનો એક પખવાડિયામાં ઉકેલ નહીં આવે તો જીજ્ઞેશ મેવાણી પાછા મોરબી આવશે અને અરજદારોની સાથે તે પણ આ ચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy