જામજોધપુર,તા.3
જામજોધપુરમાં વેપારી પર લુખ્ખા તત્વોએ કરેલા હુમલાના વિરોધ શહેરના તમામ વેપારીઓએ આજે અડધો દિવસ રોષપૂર્ણ બંધ આજે અડધો દિવસ રોષપૂર્ણ બંધ પાળ્યો હતો.
જામજોધપુરમાં ખોળ કપાસના વેપારી ચિરાગ વૃજલાલ દેલવાડીયા પર પાર્કિંગના પ્રશ્નને લઈ માથાભારે શખ્સોએ હુમલો કરતા શહેરમાં વેપારી આલમમાં રોષ ફાટી નીકળ્યો હતો.જામજોધપુર ટાઉનમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી લુખ્ખાગીરી, રોમિયોગીરી, ઉંચા વ્યાજ વટાવનાં ધંધા, ટ્રાફિકના પ્રશ્નો, દારૂના વધતાં જતા અનહદ દુષણો વિરોધમાં સમસ્ત ગ્રામજનો તથા વેપારીઓના દ્વારા આજરોજ અડધા દિવસનું સંજ્જડ બંધનું એલાન અપાયું હતું.જેમંના અનુસંધાને આજે અડધો દિવસ માટે તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા સદંતર બંધ રાખ્યા હતા..
જેમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન અપાયું છે. અને સુર્પણ બંધ પળાયો હતો. શહેરમાં વકરતી ગુંડાગીરી દારૂની બદી ખુલ્લે આમ વ્યાજ વટાવના ધંધામાં પોલીસની નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે.શહેરના વ્યાજખોરની હાટડીઓમાંના સંચાલકો સાથે અમુકપોલીસની ઉઠક બેઠક હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ બાબતે તંત્ર પગલા લેશે ખરૂં ?તેવો પ્રશ્ન ઉકેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy