(લિતેશ ચંદારાણા)
વાંકાનેર તા.3
વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાંકાનેર સેવા સદન કચેરી ખાતે નીટની પરીક્ષામાં થયેલા ગોટાળા મામલે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ ગોટાળા મામલે રાષ્ટ્રપતિને સંબોધીને વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરીક્ષામાં ગોટાળાઓ કરનાર દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી.
વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું હતું કે નીટ યુજી જેવી પરીક્ષામાં ગોટાળાઓ થાય તે અતિ ગંભીર બાબત છે. આ પરીક્ષામાં અનેક ક્ષતિઓ સામે આવી છે. આ માનવીય ભુલો નથી પણ જાણી જોઈને કરાયેલો એક ગંભીર ગુનો છે. પ્રશ્ર્નપત્ર કેવી રીતે લીક થયું તે અંગે પણ કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે. ગોધરામાં પૈસા લઈને આખુ સેન્ટર વેંચાઈ ગયું તેન પર પણ કોંગ્રેસે પ્રહારો કર્યા છે.
આ તકે વિરોધ પ્રદર્શનમાં વાંકાનેર કોંગ્રેસ સમિતિના શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અરવિંદભાઈ આંબલીયા, જશુભાઈ ગોહિલ, ડો. રૂકમુદ્દીન માથકીયા, ઉસ્માનભાઈ માથકીયા, આબીદ ગઢવાળા, ફારૂકભાઈ કડીવાર, નાથાભાઈ ગોરિયા, મયુદ્દીનભાઈ ચૌધરી, મુનીરભાઈ પરાસરા, હાસમભાઈ બાંભણીયા, એહમદભાઈ માથકીયા, હનીફભાઈ શેરસીયા, મુસ્તુફા કડીવાર, એમ.જે. પટેલ સહિતના જોડાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy