અમદાવાદ: સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.21મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. શુક્રવાર તા.21મી જૂન લાંબા લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટનાનો લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે. અમદાવાદ ખાતે તા.3 જુલાઈના રોજ ખગોળીય કાર્યક્રમ યોજાનાર છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે સુર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટુંકી થતી જાય છે. તેના કારણે તા.21મી જુને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ 13 કલાક 28 મીનીટ, રાત્રી 10 કલાક 32 મીનીટ રહેશે. તા.22મી જૂનથી ક્રમિક રીતે દિવસ સેકન્ડના તફાવતને પ્રમાણે ક્રમશ: ટુંકો અને રાત્રી લાંબી થતી જોવા મળશે. ભારતમાં સુર્યોદય-સુર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેક્ધડ-મિનિટના તફાવતથી ફેરફાર દિવસ-રાત્રિ જોવા મળશે.
21મી જૂન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવામાં આવે છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વિગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે.
પૃથ્વી પોતાની ધરી 23.5 ને ખુણે નમેલી હોય છે. પૃથ્વીનું માથું દક્ષિણ અને ઉતર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy