(વિપુલ હિરાણી) ભાવનગર, તા.2
આગામી લોકસભાની ચુંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વેપાર-ઉદ્યોગના વિવિધ એસોસિએશનો સાથે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.29 નાં રોજ મીટીંગ યોજાઈ હતી.
કાર્યક્રમનાં પ્રારંભમાં ચેમ્બર પ્રમુખ દિલીપભાઈ કમાણીએ શાબ્દિક સ્વાગત કરેલ અને જણાવેલ કે, દરેક મતદાતાઓએ અવશ્ય મતદાન કરવું જોઈએ તેમજ પોતાની કંપની કે પેઢીમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારો પણ મતદાન કરે તેની ખાસ કાળજી લેવી જોઈએ.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ જીલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકીએ જણાવેલ કે આ લોકશાહીનું મહાપર્વ છે અને આપણા મતદાનથી લોકશાહી મજબૂત બને છે. દિવ્યાંગ અને શારીરિક અસક્ષમ મતદાતાઓ માટે ટ્રાયસિકલની વ્યવસ્થા કરવા માટે પ્રયત્નશીલ છીએ.
આ માટે તેઓએ ભાવનગરનાં મોટા એકમોને તેમના ઈજછ ફંડમાંથી આ કાર્યમાં મદદરૂપ થવા ભારપૂર્વક અનુરોધ કરેલ. આ પ્રસંગે મતદાન જાગૃતિ માટે ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવેલ અને ઉપસ્થિત સૌને મતદાન અંગેના સપથ લેવરાવવામાં આવેલ. આ પ્રસંગે ચેમ્બરનાં ઉપ-પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયા તથા મેનેજીંગ કમિટીના સભ્યો, જીઆઇડીસી- ભાવનગરનાં રીજીયોનલ મેનેજર અશ્વીનભારથી ગોસાઈ, જીલ્લા લેબર ઓફિસર. એસ. બી. મોદી, ડાયરેકટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી કચેરીનાં આસી. ડાયરેક્ટર મિતેશ મેણાત, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં ઇન્ડસ્ટ્રીઝ ઓફિસર કૌશિક દેસાઈ, ચેમ્બર સંલગ્ન વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy