રાજકોટ તા.21
ભાણવડ તાલુકાના મોડપર ગામની પરિણિતાએ એસિડ પી લેતાં સારવારમાં મોત નિપજ્યું હતું. પ્રેમ લગ્ન બાબતે તેણીનાં માવતર સમાધાન કરતાં ન હોય જેની ચિંતામાં આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.
બનાવની વિગત મુજબ સંતોકબેન ઉર્ફે સતીબેન નગાભાઈ નંદાણીયા (ઉ.વ.30, રહે. મોડપર ગામ, તા. ભાણવડ જી. દ્વારકા) એ 2012માં પ્રેમ લગ્ન કર્યા હતાં.તા.20/6/2024ના રોજ બપોરના પોતાનાં ઘરે એસીડ પી લેતા તાકિદે મોડપર બાદ ભાણવડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદ વધુ સારવાર અર્થે ઉપલેટાની ક્રિષ્ના હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં આજે સારવારમાં દમ તોડી દિધો હતો. બાદ મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે તેણીનાં પ્રેમ લગ્ન બાદ તેનાં માવતર સમાધાન કરતાં ન હોય જેની ચિંતામાં આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.
મૃતકનું માવતર ભાણવડ તાલુકાનું કલ્યાણપુર ગામ છે. તેઓ બે બહેન અને બે ભાઈમાં ત્રીજાં નંબરના હતાં. એક પુત્ર અને એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતાં મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy