ધોરાજી, તા. 29
જામકંડોરણા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહે છોટે સરદાર વિઠ્ઠલભાઇ રાદડીયાને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી તેમજ ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના નિવાસે તેઓએ શુભેચ્છા મુલાકાત લઇ તેમણે કરેલી કામગીરીને બિરદાવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જામકંડોરણાની લીધેલી મુલાકાત દરમિયાન તેમના મિત્ર સહકારી નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાને યાદ કરી જણાવેલ કે વિઠ્ઠલભાઇ રાદડીયાએ લેઉવા પટેલ સમાજના હજારોથી વધારે ક્ધયાઓને ભણાવવાની વ્યવસ્થા કરી સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિનું સર્જન કરીને સહકારી ક્ષેત્રે તેઓએ અનેક નવી દિશાઓ આપી હતી તેવા ખેડુત પુત્ર વિઠ્ઠલભાઇ રાદડીયાને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરૂ છું. અને તેમને કરેલી સેવાઓને બિરદાવું છું.
ત્યારબાદ જામકંડોરણા ખાતે પટેલ ચોક, ‘વૈભવ’ જયેશભાઇ રાદડીયાના નિવાસસ્થાને અમીતભાઇ શાહે શુભેચ્છા મુલાકાત કરી પરીવારજનોને મળી વિઠ્ઠલભાઇ રાદડીયા સાથેના જુના સંસ્મરણોને તાજા કરેલ હતા. તેઓએ જયેશભાઇ રાદડીયાના નિવાસસ્થાને ભોજન લીધેલ હતું. આ તકે અમીતભાઇ શાહને પરિવારજનોએ આવકારેલ હતા. આ તકે પરિવારજનો, આગેવાનો, મિત્ર મંડળ સહિતના લોકો હાજર રહેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy