એડવાન્સ વેરાની આવકમાં રૂ।.12.72 કરોડનો વધારો

Saurashtra | Rajkot | 01 July, 2024 | 03:19 PM
ચાલુ વર્ષમાં ર0 હજાર નવા કરદાતા વધ્યા : કુલ ર4 કરોડનું ડિસ્કાઉન્ટ આપતી મનપા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 1
મહાનગરપાલિકાના વર્ષ-2024માં તા.1-4 થી 30-6 દરમ્યાન કુલ 3,29,724 કરદાતાઓએ કુલ રૂ.244.45 કરોડના વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) 93,440 કરદાતાઓએ વેરો કુલ રૂ.96.27 કરોડ અને ઓન લાઇનના દ્વારા 2,36,284 કરદાતાઓએ કુલ રૂ.148.18 કરોડ વેરાની ભરપાઇ કરેલ છે.  કુલ વસુલ કરેલ રકમ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 24.12 કરોડનું  ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

ચાલુ નાણાંકીય વર્ષમાં જુલાઇ સુધીમાં કુલ 3,09,188 કરદાઓએ કુલ રૂ.211.73 કરોડ વેરાની ભરપાઇ કરેલ છે. જેમાં ઓફ લાઇન(કેશ તથા ચેક) દ્વારા 1,02,094 કરદાતાએ વેરો કુલ રૂ.84.57 કરોડ અને ઓન લાઇન દ્વારા 2,07,094 કરદાતાઓએ કુલ રૂ.127.16 કરોડની ભરપાઇ કરેલ છે.  ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં મહાનગરપાલિકાએ રૂ. રૂ.2.39 કરોડની વધુ ડિસ્કાઉન્ટ આપેલ છે તથા ગત વર્ષ કરતાં રૂ.32.72 કરોડની વધુ આવક તથા 20,536 નવા કરદાતાઓએ વેરાની ભરપાઇ કરવામાં આવેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj