રાજકોટ : તા.2
ગત શનિવાર 29 જૂનના રોજ શહેરના ભાગોળે આવેલ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની ડોમ કેનોપી બપોરે ધરાશાયી થઈ હતી. મુસાફરોના પ્રસ્થાન દ્વાર પાસે જ આ ડોમ કનોપી પડી ભાંગી પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. હજુ તેના થોડા દિવસો પહેલા જ દિલ્હી એરપોર્ટ પર ડોમ ધરાશાયી થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
તે જ અઠવાડિયામાં રાજકોટ એરપોર્ટ પર સામાન્ય વરસાદમાં પાણી ભરાતા ડોમ કેનોપી તૂટી પડી હતી. આ ઘટના બાદ રાજકોટ સહિત રાષ્ટ્ર ભરના મીડિયામાં વાત સામે આવી હતી.
ત્યારબાદ રવિવારથી હવે દિલ્હી એરપોર્ટ ઓથોરિટીની ટીમ રાજકોટમાં છે. તેની સાથે આ જર્મન ડોમ બનાવનાર કંપની પણ સાથે છે. આ કામ પૂરું થયા બાદ એરપોર્ટનું ઉદઘાટન કર્યું તેને એક વર્ષ પણ હજી નથી થયું એટલે વોરંટીમાં હોવાથી આ કંપની પાસે કામ કરાવાશે. દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટીના અધિકારી દ્વારા નવા એરપોર્ટ ટર્મિનલની પણ મુલાકાત લેવામાં આવી છે. આ ટર્મિનલ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થવાનું હતું જે બાકી રહેલું કામ જોતા હજુ સપ્ટેમ્બર સુધીમાં નહિ પૂર્ણ થાય તેવું મનાય છે. આ બાબતે રિપોર્ટ દિલ્હી ઓફિસ ખાતે કરાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy