રાજકોટ તા.29
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી તાપમાનમાં વધારો છે અને મામુલી વધઘટ સાથે ઉંચુ તાપમાન યથાવત રહેવાની સાથોસાથ હવે પવનનુ જોર પણ વધવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે આગળ વધતા ઉનાળા સાથે હવે નોર્મલ તાપમાન 41 ડીગ્રી ગણાય છે. મોટાભાગનાં સેન્ટરોમાં મહતમ તાપમાન નોર્મલ છે. તેનાથી એકાદ ડીગ્રી નીચુ નોંધાયુ હતું. રવિવારે અમદાવાદનું મહ્તમ તાપમાન 40.5 ડીગ્રી તથા ગાંધીનગરનું 39.8 ડીગ્રી હતું તે નોર્મલ કરતાં એક ડીગ્રી નીચુ હતું જયારે રાજકોટમાં 41.07 ડીગ્રી, ભુજમાં 40.3 ડીગ્રી, તથા સુરેન્દ્રનગરમાં 41.1 ડીગ્રી નોર્મલ સ્તરે રહ્યું હતું.
તેઓએ આગામી 5 મે સુધીની આગાહી કરતા જણાવ્યું હતુંકે આ સમયગાળામાં તાપમાનમાં થોડી વધઘટ રહેશે.છતા 40.42 ડીગ્રીની રેન્જમાં રહેવાનું અનુમાન છે.
ખાસ કરીને આગાહીના પાછલા દિવસોમાં વિક એન્ડમાં મહતમ તાપમાન 42 કીમીની ઉપલી રેન્જમાં પહોંચી શકે છે.
આગાહીનાં સમય ગાળામાં પવનનું જોર વધુ રહેવાની સંભાવના છે. પવન મુખ્યત્વે પશ્ચિમ તથા ઉતર પશ્ર્ચિમનાં રહેશે અને સામાન્ય ગતિ કરતા વધુ ઝડપનાં પવન ફુંકાશે. 15 થી 20 કીમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. ઝાટકાનાં પવનની ઝડપ 25 થી 35 કીમીની રહી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy