(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા)
ધોરાજી તા.2
ધોરાજી વિસ્તારમાં ગઈકાલથી અત્યાર સુધીમાં વરસાદ થતા 7 ઈંચ જેટલું પાણી પડી ગયુ છે. જેના પગલે મોસમનો કુલ વરસાદ 11 ઈંચ જેટલો થવા જાય છે.
ભારે વરસાદના પગલે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઐતિહાસિક પર્વત ઓસમ પર પર્વત પરથી પાણીનો ધોધ ચાલુ થતા ટપકેશ્ર્વર મહાદેવ મંદિર પાસે અલૌકીક દ્દશ્ય સર્જાયા છે. સહેલાણીઓ આ ધોધ જોવા ઉમટી પડેલ હતા. જયારે ધોરાજીમાં સફુરા નદીમાં પુર આવતા સફુરા નદી બે કાંઠે વહેવા લાગેલ હતી અને પંચનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવના ચરણો સુધી પાણી ગયેલ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy