જૂનાગઢ,તા.2
દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી ગિરનારની દુધધારાની પરિક્રમા આગામી 2 જુલાઈ મંગળવારથી શરુ થવાની હતી. ગરવા ગિરનારની ફરતે 36 કિમીની થતી દૂધધારા પરિક્રમા માટે વન વિભાગે 6 સંસ્થાને મળી કુલ 125 ભાવિકોને પરિક્રમાની મંજૂરી આપી હતી.
જો કે ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ હોવાને કારણે અને પરિક્રમા રૂટમાં આવતા નદી-નાળામાં પુરની સ્થિતિ સર્જાઈ છે, આ ઉપરાંત હજુ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે આ તમામ વાતને ધ્યાને રાખીને આગમચેતીના પગલાના ભાગરૂપે દુધધારા પરિક્રમા રદ કરવામાં આવી છે.
જેઠ વદ અગિયારસના દિવસે ગિરનારીની દૂધધારા પરિક્રમા યોજાતી આવી છે.
ધાર્મિક આસ્થા વિશ્વાસ અને ભક્તિના સમન્વય સાથે ગિરનારી મહારાજની દૂધધારા પરિક્રમાનું આયોજન ભવનાથમાં રહેતા માલધારી પરિવાર દ્વારા કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો જોડાઇને ગિરનારી મહારાજની ફરતે દૂધની ધારાઓ વડે પ્રદક્ષિણા કરીને સમગ્ર સૃષ્ટિ પર વરુણદેવ પોતાની કૃપા દ્રષ્ટિ વર્ષાવે તેવી પ્રાર્થના કરે છે. 36 કિમીની આ યાત્રા એક જ દિવસની હોય છે, જે વ્હેલી સવારે શરુ થયા બાદ સાંજે ભવનાથ મહાદેવના ચરણોમાં પરિપૂર્ણ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy