રાજકોટ તા.9
આવતીકાલે અખાત્રીજ- અક્ષય તૃતીયાનો પરમ પાવન દિવસ છે. પરમ તારક શ્રી આદિનાથ પરમાત્માએ 400 ઉપવાસના પારણા અખાત્રીજે ઈક્ષુરસથી કર્યા હતા.
સમસ્ત જૈન સમાજમાં વર્ષીતપની તપશ્ર્ચર્યા કરતા આરાધકો આવતીકાલે અખાત્રીજના દિવસે પારણા કરશે. એક વર્ષથી વધારે થતી તપશ્ર્ચર્યાની આવતીકાલે પૂર્ણાહુતિ થશે.
પાલીતાણામાં આવતીકાલે તળેટી પાસેના પારણા ભવન તથા સલોત ભવનમાં વર્ષીતપના આરાધકોના સામુહિક પારણે થશે.
રાજકોટમાં વર્ષીતપના આરાધકો કાલે પારણા કરીને તપની પૂર્ણાહુતિ થશે.
જિનશાસન પ્રભાવક આ.ભ.પૂ.શ્રી જયશેખરસુરીશ્ર્વરજી મહારાજા પ્રેરિત શ્રી વિમલનાથ જિનાલયમાં આવતીકાલે અખાત્રીજના સવારે 6-30થી 6-45 સુધી શ્રી લટવાળા આદિશ્વર ભગવાનનો વર્ષમાં એક જ વાર ઈક્ષુરસ (શેરડી)નો પક્ષાલ થશે.
આ પ્રસંગે ઈક્ષુરસ પાન ભકિતનું આયોજન સવારે 7-30 થી 12-30 સુધી કરવામાં આવેલ છે. વિમલનાથ જિનાલયની બહાર ઈક્ષુરસ પાલ રચાશે. દરેક દર્શનાર્થીઓને ઈક્ષુરસ પાનનો લાભ લેવા જણાવાયું છે.
ઈક્ષુરસ પાલના લાભાર્થી પ્રભાવતીબેન નવિનચંદ્ર શાહ (ચોટીલા વાળા)ના આત્મ શ્રેયાર્થે હસ્તે શાહ પરિવારે લાભ લીધો છે.
આવતીકાલે રાત્રે 8-30 કલાકે ત્રણેય પરમાત્માની આંગી, આરતી તથા પ્રભાવના થશે. જેનો લાભ ચોટીલાવાળા પરિવારે લીધો છે. તેમ વિમલનાથ જિનાલયના ક્ધવીનર વિપુલભાઈ દોશીએ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy