પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત કાલે બ્રહ્મ અગ્રણી જીતુ મહેતાના ઘરે મહાપુજનનું આયોજન

Dharmik | Rajkot | 09 May, 2024 | 04:29 PM
વૈદિક મંત્રોચ્ચારથી મહાઆરતી કરાશે
સાંજ સમાચાર

રાજકોટ:તા 9 
ભગવાન પરશુરામજીની આવતીકાલે જન્મજયંતિ છે ત્યારે આ જન્મોત્સવનો અનેરો થનગનાટ ભુદેવોમાં જોવા મળી રહયો છે અને આવતીકાલે ઠેર-ઠેર ચિરંજીવ દેવ ભગવાન પરશુરામજી ની મહાપુજન, શોભાયાત્રા, મહાઆરતી, યજ્ઞો સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહસમાજના ટ્રસ્ટી અને યુવાનોના માર્ગદર્શક એવા બ્રહ્મ અગ્રણી જીતુભાઈ મહેતાના રામનાથપરા ખાતે આવેલ નિવાસસ્થાને ભગવાનશ્રી પરશુરામજીનું મહાપુજન-અર્ચન તથા મહાઆરતીનો કાર્યક્રમ વૈદિક મંત્રોચ્ચારથી ભગવાનશ્રી પરશુરામજીનું પુજન કરવામાં આવશે.

આ અંતર્ગત વધુ માહિતી આપતા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના આગેવાન જીતુભાઈ મહેતા તથા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહમસમાજના પ્રવકતા હરેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે પરશુરામ જન્મોત્સવ અંર્તગત છેલ્લા ઘણા વર્ષોથી સર્વધર્મ સમભાવના આશયથી અને સામાજીક સમરસતાનું સ્થાપન થાય તેવા હેતુથી પરશુરામ જન્મજયંતિના દિવસે મહાપુજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ, બ્રહ્મસમાજના તળગોળના આગેવાનો તથા બ્રહ્મઅગ્રણીઓ ઉપસ્થિત રહેશે. 
 

જીતુભાઈ મહેતાના નિવાસસ્થાને માં ગાયત્રીનું ભવ્ય મંદિર આવેલ છે અને જેની સમિપમાં સ્વયંભુ રામનાથ મહાદેવ બીરાજે છે. અને આમ છોટા કાશી ગણાતા આ રામનાથપરા શકિત અને ભક્તિની સાથે ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે 10/5 ને શુક્રવારે સવારે 10.00 કલાકે પંચધાતુના ભગવાનશ્રી પરશુરામજીની મુર્તિનું ભુદેવો દ્વારા સોળષોપચાર મંત્રોથી પુજન-અર્ચન કરવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj