રાજકોટ,તા.9
અખાત્રીજ અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મની પવિત્ર તિથિઓમાંની એક માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાને અક્ષય તૃતીયા - અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે.અખાત્રીજના દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા અને ગંગાના અવતાર દ્વારા રાજા સાગરના 60 હજાર પુત્રો મુક્ત થયા હતા.એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાભારતનું યુદ્ધ પણ સમાપ્ત થયું હતું. મહાભારતનું ભીષણ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું જેમાં લાખો યોદ્ધાઓએ જીવ ગુમાવ્યા.
અક્ષય તૃતીયા અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામ, હયગ્રીવ અને નર-નારાયણ પૃથ્વી પર અવતર્યા હતા. આ ત્રણેય ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. સત્યયુગ અને ત્રેતાયુગનો પણ આ દિવસથી પ્રારંભ થયો હતો. માન્યતાઓ અનુસાર દ્વાપર યુગનો પણ આ દિવસે અંત આવ્યો હતો.મહાભારત ગ્રંથની રચના પણ અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી શરૂ થઈ હતી.
ઋષિ વેદ વ્યાસ અને ભગવાન ગણેશએ મળીને આ પુસ્તકની રચના કરી હતી.ધન પ્રાપ્તિ માટે કનકધારા સ્તોત્રનું પઠન પણ આ દિવસે આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.હિન્દુઓના પવિત્ર તીર્થસ્થળ બદ્રીનાથ ધામના દરવાજા પણ અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી ખુલે છે.આ તમામ કાર્યક્રમો ઉપરાંત અક્ષય તૃતીયા - અખાત્રીજના દિવસથી જ ભગવાન જગન્નાથના રથ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ દિવસે સુદામા ભગવાન શ્રીકૃષ્ણને મળવા આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy