રાજકોટ,તા.9
ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિ, ભારતના ઋષિ મુનિઓથી રળિયાત છે. પોતે તપ તપી, સત્યની અનુભૂતિ કરી સમસ્ત માનવજાતના કલ્યાણ માટે જીવન વીતાવી, વેદ-ઉપનિષદ, શ્રીમદ ભાગવતગીતા વગેરે પુરાણોની તથા શાસ્ત્રોની રચના કરી, વિચાર-વિજ્ઞાન-વીરતા-વિનમ્રતા વિશાળતા-વિદ્યા જેવી વિવિધતાથી સંસ્કારિત થયેલ જીવનશૈલી આપી માણસાઈ અને માનવતાના પાઠ શીખવી, વંદનીય અનેક ઋષિમુનિઓ અમર થઈ ગયા. વિશ્વમાં શ્રેષ્ઠ કહી શકાય એવો અમૂલ્ય વારસો તેઓએ આપ્યો છે.
વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજના દિવસે , ભૂદેવોના અધિષ્ઠાતા દેવ વિદ્વાનોએ જેમને ભગવાન વાસુદેવના અંશરૂપ ગણ્યા છે તેવા ભૃગુકુલભૂષણ, કાલાગ્નિ સમાં દુ:સહ , કૈલાસ સમ દુર્ઘર્ષ, વેદજ્ઞ પરશુરામજીનો જન્મોત્સવ છે.
અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાનશ્ચ, વિભષણ, કૃપ, પરશુરામશ્ચ સપ્તેતિ ચિરંજીવી, પરશુરામના પિતા જમદગ્નિ, માતા રેણુકાના પરશુરામ સૌથી નાના પુત્ર હતા.પરશુરામનું દર્શન, તેજોમય છે. - બ્રહ્મત્વના તેજ થી ઝળહળ, વીરત્વ અને પરાક્રમભર્યા તેજ કિરણોથી શોભતું, ધર્મ-જ્ઞાન-કર્મથી સુગ્રથિત વિરલ દિવ્ય ધન્ય પ્રસંગોથી ધબકતું કૃતવીર્ય બનવું પણ હતવીર્ય નહિ એવો સંદેશ આપતું, દૃઢતાથી ધારણ કરેલ પરશુ તથા ધનુષ્યબાણથી શોભતું તેમનું દર્શન આપણને તપ, ત્યાગ, બલિદાન તથા શારીરિક શક્તિથી દિવ્ય બનવા પ્રેરણા આપે છે.
આવા પરમ પાવક પ્રચંડ પ્રભાવક, સત્યપ્રચારક પિતૃભક્ત, કર્મવીર, ધર્મવીર, અજેય, અનુપમ, અનાસકત, અપરિગ્રહી, શરણાગત, વત્સલ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, રામ અને શ્રીકૃષ્ણ પણ જેમના શિષ્ય છે. એવા ભગવાન પરશુરામને શતશત વંદના.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy