સાળંગપુર,તા.23
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી શ્રી હનુમાન જયંતી મહોત્સવ એવં લોકડાયરો,દાદાને વિશેષ 15 કિલો ચાંદીના 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘા ધરાવી,પુષ્પવર્ષા વિગેરે કાર્યક્રમનું ભવ્યાતિભવ્યઆયોજનતા.22ના રોજકરવામાં આવ્યું હતું.પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા સાંજે 6.00 કલાકે કરવામાં આવી.
તા.22 સોમવારના રોજ 54 ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5,000 કિલો પુષ્પનો અભિષેક સાંજે 6.00 કલાકે આવી હતી આ માટે 3થી 4 પ્રકારના પુષ્પો વડોદરા અમદાવાદ અને ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવ્યા હતા પુષ્પાભિષેક કરવા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ ઉપર 15ડ્ઢ25નું સ્ટેજ બનાવાયું હતું. જ્યાંથી સંતો અને યજમાનો દાદાનો પુષ્પાભિષેક કરવામાં આવ્યો હતો.આ પછી અમેરિકન ગોટ ટેલેન્ટ વિજેતા ડાન્સ ગ્રુપ દ્વારા ભવ્ય ડાન્સરજુ કરવામાં આવશે.કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ સમક્ષ અનેક પ્રકારની અગ્નિઓથી પૂજન એવમ્ મહાઆરતી કરવામાં આવી, મહાઆરતીમાં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, ભક્તો, યજમાનશ્રીઓ અને સ્વયંસેવકો ભાવપૂર્વક જોડાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy