સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે કરવામાં આવેલ દરેક કાર્ય શુભ અને ફળદાયી હોય છે. કેલેન્ડર જોયા વગર પણ આ દિવસ શુભ છે. આ દિવસે લગ્ન, ઉદ્ઘાટન, વાસ્તુ, ગૃહ પ્રવેશ સહિતના કાર્યો થઈ શકે છે પરંતુ આ વર્ષે તા.10મી મેના અક્ષય તૃતીયાના શરણાઈના સૂરો ગુંજશે નહિ.
જયોતિષ શાસ્ત્ર અનુસાર 61 વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે લગ્ન તથા શુભકાર્યો થશે નહિ. આ દિવસે ગુરૂ અને શુક્ર હસ્ત થવાના કારણે આમ થશે. 28મી જૂનના શુક્ર ગ્રહનો ઉદય થશે ત્યાર પછી લગ્ન અને અન્ય માંગલિક કાર્યો માટે મુહુર્ત નીકળશે.
વિવાહ માટે ગુરૂ અને શુક્રનો ઉદય હોવો જરૂરી છે. આ બન્નેમાંથી કોઈ એક પણ અસ્ત થવાથી વિવાહ વગેરે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે ગુરૂ અને શુક્રનો અસ્ત હોવાથી વિવાહ મુહૂર્ત માટે જુલાઈ સુધી પ્રતીક્ષા કરવી પડશે.
તા.9મી જુલાઈથી શરણાઈઓનું જશે. જુલાઈમાં લગ્નના મુહુર્તો 9,11,12,13 તથા 15 તારીખ છે. 17 જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે તેથી ચાતુર્માસના ચાર મહિના માંગલિક કાર્યો પર બ્રેક લાગશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy