રાજકોટ,તા.6
તા.1લીમેના બુધવારથી ગુરૂગ્રહનો વૃષભ રાશિમાં પ્રવેશ થયો છે જે તે 2025 સુધી વૃષભરાશિમાં રહેશે. વૃષભરાશિમાં ગુરુના ગોચરનું બારેય રાશિઓને કેવું ફળ આપશે તેની વિગતો પ્રસ્તૃત છે.
મેષ રાશિ:- આર્થિક બચતનું જોર રાખવું જુની બીમારીમાં રાહત રહે વારસાગત લાભ મળે વ્યાપારમાં વૃદ્ધિ
વૃષભ:- રાશી વિદ્યા અભ્યાસમાં આગળ વધી શકાય જેના વિવાહ ન થયા હોય તે વિવાહના યોગ ખરા ભાગ્યોદય થાય ભાગ્ય બળ વધે
મિથુન રાશિ:- બીજાના કામ સમજી વિચારીને કરવા બચતનું જોર રાખવું જમીન મકાન લેવાના યોગ બને વારસાગત વેપારમાં વૃદ્ધિ થાય
કર્ક રાશિ:- મહેનતનું પુરતું ફળ મળે સંતાનો બાબતે ધ્યાન આપવાથી સારું રહે વિદ્યા માટે પ્રગતિનું વર્ષ જાહેર જીવનમાં માનપ્રતિષ્ઠા મળે જેના વિવાહ ન થયા હોય તેના વિવાહ ના યોગ ખરા
સિંહ રાશિ:- ઘરનું મકાન ન હોય તો મકાન લેવાના યોગ બને બેંક બેલેન્સમાં વધારો શકય બને જુની બીમારીમાં રાહત મળે
કન્યા રાશિ :- માનસિક શાંતિ મળે મહેનતનું ફળ પુરતું મળે
તુલા રાશિ:- બચતનું પ્રમાણ રાખવાથી ભવિષ્યનું નિર્માણ કરવાની તક મળે પરિવારના સભ્યો સાથે મેળ બને
વૃષિક રાશિ:- માનસિક શાંતિ મળે બુદ્ધિશકિતમાં વધારો થાય આરોગ્ય સારું થાય, શુભ કાર્યો કરવા.
ધન રાશિ:- વ્યાપાર ધંધામાં પ્રગતિ શકય બને નોકરીમાં પ્રમોશન સાથે ચોથે રાહુ ચાલે છે આથી મહાદેવજીની ઉપાસના કરતી રહેવી
મકર રાશિ:- ભાગ્યોદય થાય આર્થિક લાભ મળે આરોગ્ય સારું થાય
કુંભ રાશિ:- વ્યાપાર ધંધામાં વધારો થાય નોકરીમાં લાભ મળવાની શકયતા શનિદેવ અને મહાદેવજીની ઉપાસના કરવી તેનાથી લાભ મળશે.
મીન રાશિ:- દાંપત્યજીવનમાં મીઠાશ વધે જેના વિવાહ ન થયા હોય તેને માટે યોગ બને નબળા ગુરૂની શાંતિ માટે હળદરનો ગાંઠિયો ખીસ્સામાં અથવા પર્સમાં રાખવો ગુરુના જપ કરવા
શાસ્ત્રી રાજદીપ જોષી (રાજકોટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy