રાજકોટ, તા.23
ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂજ્ય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબ નાં સુશિષ્ય સદગુરુદેવ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબે તારીખ 23/4/24 નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ,સી. એમ. શેઠ પૌષધશાળા રાજકોટમાં જણાવેલ કે જૈનદર્શન પ્રમાણે હનુમાનજી મોક્ષ પધાર્યા છે. હનુમાનજીને કળયુગના દેવતા માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ પૃથ્વી પર બિરાજમાન છે. જે વ્યક્તિ હનુમાનજીની શુદ્ધ હ્રદયનાં ભાવથી આરાધના કરે છે, તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન રામની અસીમ કૃપા પછી પણ હનુમાને મોટા અમી2 ઉમરાવ થવાની ઇચ્છા ન કરી તેમ જ પોતાના કરતાં ઉચ્ચ બનીને શ્રીરામની સાથે રાતદિવસ બેસનારાઓની ઈર્ષા ન કરી. ગામ, ગરાસ, રાજપાટ, હાથી, રથ, ઘોડા કે સંસારની કોઈ સાહ્યબી એણે ન સ્વીકારી તેમ શ્રી રામની પાસે બેસવાની પણ ઇચ્છા ન કરી. છેલ્લામાં છેલ્લે સૌની પાછળ એણે પોતાનાં બેસણાં રાખ્યાં.
એને એક વસ્તુ સર્વોપરી લાગેલી અને તે ભગવાન શ્રીરામ. અને તે તો પોતાના હૃદયમાં જ સ્થાપી દીધેલા. રામ ભલે ગમે ત્યાં હોય એની એને પરવા ન હતી. એના હૃદયમાં, અંગમાં, નસેનસમાં અને રોમ રોમમાં રામ રમતા હતા. બ્રહ્માંડ પુરાણ અનુસાર હનુમાનજીનાં અન્ય પાંચ ભાઈઓ છે. મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન, ધૃતિમાન.
હનુમાન ભક્તો ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજીની જન્મજયંતિ ઉજવે છે. આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. લૌકિક માન્યતા પ્રમાણે રુદ્રાવતાર હનુમાનજીનો જન્મ રામ અવતારના સમયમાં ભગવાન વિષ્ણુની મદદ કરવા માટે થયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy