જયોતિષ શાસ્ત્રમાં મંગળને અગ્નિ તત્વનો ગ્રહ ગણાવ્યો છે. મંગળ ઉર્જાનો કારક ગ્રહણ છે. મંગળ ર3 એપ્રિલે કુંભ રાશિમાંથી મીન રાશિમાં જશે. જયારે મંગળ મીન રાશિમાં પ્રવેશ કરે છે. ત્યારે 6 રાશિના લોકો પર મંગળની નકારાત્મક અસર જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે કઇ 6 રાશિના લોકોએ મંગળના સંક્રમણ દરમિયાન સાવધાન રહેવું પડશે.
વૃષભ
વૃષભ રાશિના લોકો માટે મંગળનો ગોચર પારિવારિક બાબતોમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ સમયગાળા દરમિયાન પ્રિયજનો વચ્ચે સમજૂતી કરીને તમારી ઉર્જા સાથેના સંબંધોને સુમેળ સાધવાનો પ્રયાસ કરવો પડશે. આ ગોચર દરમિયાન શાંતિપૂર્ણ અને આરામદાયક વાતાવરણ મેળવવા ઇચ્છો છો જોકે આ રાશિના લોકોમાં કોઇ આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરી રહ્યા છે, તેમને વ્યવહારમાં વધુ લાભ મળશે.
સિંહ
સિંહ રાશિના લોકો માટે મંગળ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે થોડુ પડકારજનક રહેશે. આ સમય દરમિયાન શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખુબ થાક અનુભવી શકાય એવું પણ બની શકે છે કે સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓને કારણે કામમાં 100 ટકા ધ્યાન ન આપી શકો. આ કારણે તમને પ્રોફેશનલ મોરચે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. અધિકારીઓ પણ તમારાથી નારાજ થઇ શકે છે.
કન્યા
મંગળના આ ગોચર દરમિયાન ક્ધયા રાશિના લોકો થોડી મુંઝવણમાં રહી શકે છે. આ સમય દરમિયાન નકારાત્મક વિચારો તમારા પર હાવી થઇ શકે છે. તેથી તમારે ધ્યાનની મદદ લેવી જોએ. આનાથી તમને ઘણો ફાયદો થશે. આ સિવાય વૈવાહિક જીવનમાં પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં કોઇ ત્રીજી વ્યકિતની દખલગીરીને કારણે તમારા પારિવારિક જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઇ શકે છે. જીવનસાથી સાથે તમારો કોઇ વિવાદ થઇ શકે છે.
તુલા
મંગળનું સંક્રમણ તમારા સ્વાસ્થ્યને અસલર કરી શકે છે. આ દરમિયાન તમારે કમરની સમસ્યાનો સામનો કરવો પડશે. તમને પીઠનો દુ:ખાવો, અલ્સર વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જોકે આ સમય દરમિયાન, અન્ય લોકો તમારા નિર્ણય લેવાની ક્ષમતાની પ્રોત્સાહિત થઇ શકે છે. તમારા આગળના ઉદેશ્યો પૂરા કરવા માટે તમે નાના જોખમો લઇ શકો છો. તમને આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવાની સલાહ આપવામાં આવે છે.
મકર
મંગળનું આ ગોચર મકર રાશિના લોકોને ભાવનાત્મક રીતે થોડા નબળા બનાવી શકે છે. આ સમય દરમિયાન કેટલાક સંબંધોને લઇને વિવાદ વધી શકે છે, પરંતુ તમારે આ સમયગાળા દરમિયાન થોડી સાવધાની સાથે કામ કરવાની જરૂર છે. તમારે તમારા જીવનસાથી સાથે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી ઇચ્છાઓ અને તમારા જીવનસાથીની જરૂરીયાતો વચ્ચે સંતુલન જાળવો. જે લોકો પોતાની રૂચિને પ્રોફેશનલ બનાવવા માંગે છે તેઓ આ સમયગાળા દરમિયાન સફળતા મેળવી શકે છે.
કુંભ
કુંભ રાશિના જાતકોએ મંગળ સંક્રમણ દરમિયાન તેમના વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં સંતુલન જાળવવું જરૂરી છે. ઉપરાંત આ રાશિના વિદ્યાર્થીઓએ આ સમયગાળા દરમિયાન થોડી સાવચેતી રાખવાની જરૂર છે.મંગળ શિક્ષણમાં થોડી અડચણો આપી શકે છે. તમારા ખરાબ સ્વાસ્થ્યને કારણે અભ્યાસમાં સારૂ પ્રદર્શન કરી શકશો નહીં. ઉપરાંત આ ગોચર તમને આંખ સંબંધિત કોઇપણ સમસ્યા આપી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy