રાજકોટ,તા.17
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી રામનવમી -મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય અયોધ્યામાં ચૈત્ર સુદ-9 બપોરે 12 વાગ્યે થયું હતું.
ભગવાન શ્રી રામચંદ્રજીનું સમગ્ર જીવન માણસને મર્યાદા અને ભાઈભાઈ પ્રત્યે કુટુંબ પ્રત્યે અને સમાજમાં માણસનો વ્યવહાર કેવો હોવો જોઈએ તેની સુંદર શીખ આપે છે. ત્યારે શ્રી રામનવમીએવં ઘનશ્યામ જન્મોત્સવનિમિત્તેતા.17-04-2024ને બુધવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:45કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને હજારીગલનાફૂલોનોદિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.શ્રી રામ જન્મોત્સવ નિમિતે બપોરે 12:00 કલાકે આરતીપ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્રારા કરવામાં આવી હતી.એવંશ્રી ઘનશ્યામ જન્મોત્સવ નિમિતે રાત્રે 10:10 કલાકે પૂજન-અર્ચન-કિર્તન-આરતીતેમજ હરિભક્તો દ્વારા રાસ-ગરબાની રમઝટ સાથે આંનદ ઉત્સવ મનાવવા આયોજનકરવામાં આવેલ.જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy