ભગવાન શ્રી રામનો પ્રાગટય દિવસ ખુબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીરામ તથા રામનવમી વિશે શાસ્ત્રોમાં જે માહિતી આપવામાં આવી છે, તેમાંથી સાવ થોડી માહિતી, અતિ સંક્ષેપમાં ભગવદ ભકતો તેમજ શ્રધ્ધાળુઓને ઉપયોગી થાય ફકત તે જ હેતુથી અહીં આવી છે.
શ્રી રામનવમી ચૈત્ર સુદ-9 તા.17/4/2024ને બુધવારના રોજ આવે છે.
શાસ્ત્રનું પ્રમાણ
શ્રી નારદ મહાપુરાણ પૂર્વ ભાગ, ચતુર્થપાદ, વકતા: સનાતન (ભગવાન શ્રી બ્રહ્માના માનસપુત્ર), શ્રોતા: શ્રી નારદજી
રામનવમીનો પરિચય
ચૈત્ર મહિનાના શુકલ પક્ષમાં નવમી તિથી ભગવાન શ્રી રામનો પ્રાગટય દિવસ રામનવમી તરીકે ભકિતપૂર્વક ઉજવવામાં આવે છે.
રામનવમીનું વ્રત
જો અનુકુળ હોય તો તે દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરવો, અશકત મનુષ્યએ મધ્યાહને શ્રીરામનો જન્મોત્સવ થાય તે પછી એક સમય ભોજન કરવું.
રામનવમીએ દાન
મનુષ્યએ પોતાની શ્રધ્ધા અને શકિત મુજબ ભગવાન શ્રીરામની પ્રસન્નતા માટે બ્રાહ્મણો તથા જરૂરીયાતવાળા લોકોને મિષ્ટાન સહિત અન્નદાન ગાય, ભૂમિ, તલ, સુવર્ણ, વસ્ત્ર અને આભૂષણ વગેરેનું દાન કરવું.
રામનવમીના વ્રતનું ફળ
જે મનુષ્ય આ રીતે ભકિતપૂર્વક શ્રીરામનવમીનું વ્રત કરે છે તે પોતાના પાપોનો શના કરીને શ્રી વિષ્ણુ ભગવાનના પરમધામમાં જાય છે.
શાસ્ત્રનું પ્રમાણ
સ્કંદ મહાપુરાણ- બ્રહ્મખંડ- ચાતુર્માસ મહાત્મ્ય વકતા- ભગવાન શ્રી શંકર શ્રોતા માતા પાર્વતી.
રામ નામનું મહાત્મ્ય
જે પરમાત્મા સ્થાવર-જંગમ-સર્વ પ્રાણીઓમાં અંતર્યામી આત્મારૂપે રમી રહ્યા છે. તે પરમાત્મા રામ કહેવાય છે.
* દેવો પણ રામ નામના ગુણગાન ગાય છે.
* હે દેવી પાર્વતી! તમે પણ રામ નામનો જાપ કરો
* આ પૃથ્વી પર રામ નામથી વધીને કોઈ પાઠ કે જપતપ નથી.
* રામ એ મંત્રનો રાજ છે. તેનાથી સહસ્ત્ર નામોનું ફળ મળે છે.
* રામ એ બે અક્ષરનો મંત્ર સર્વ પાપનો નાશ કરનાર છે.
* મનુષ્ય હરતાં-ફરતાં સુતી વખતે પણ રામ નામનું સ્મરણ કરે તો શ્રીરામની કૃપાથી સુખી થાય છે.
શાસ્ત્રનું પ્રમાણ
શ્રીમદ્ ભગવતી ભાગવત સ્કંધ-9, અધ્યાય-30 વકતા-શ્રી યમરાજ, શ્રોતા સાવિત્રી
રામનવમીના વ્રતનું મહાત્મ્ય
જે મનુષ્ય ભરતખંડમાં રામનવમીનું વ્રત કરે છે તે સાત મન્વંત્રો (1) મન્વંતર બરાબર 30,67,20,000 એટલે કે ત્રીસ કરોડ સડસઠ લાખ વીસ હજાર વર્ષ) સુધી વૈકુંઠમાં આનંદ કરે છે.. મનુષ્ય જન્મ પામીને તે શ્રી રામભકિત મેળવે છે..(1.1)
આ લેખ લખનારનું વ્યતિપાત યોગ વિશેનું પ્રવચન 8-ભાગમાં તથા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, રાધાઅષ્ટમી, ચાતુર્માસ મહાત્મ્ય, તુલસી, રૂદ્રાક્ષ અને પીપળાના પુજનનું મહત્વ, 1 લાખ અશ્ર્વમેઘ યજ્ઞનું પુણ્ય ઘરબેઠા મેળવો વગેરે યુ ટયુબમાં મોરે શ્યામ ચેનલ ઉપર ઉપલબ્ધ છે.
સંકલન: શ્રી નિશીથભાઈ ઉપાધ્યાય
સ્પીરીચ્યુઅલ ક્ધસલટન્ટ અને એસ્ટ્રોલોજર
મો.નં. 78742 95074, મો.નં.93136 92441
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy