આજે મંગળવારે વાસંતીક નવરાત્રીનો આઠમો દિવસ છે. આ દિવસે આદ્યશકિત નવદુર્ગાના આઠમાં સ્વરૂપ માં મહાગૌરીની પૂજા કરવામાં આવશે. જે લોકો કેટલાક કારણોસર નવ દિવસ ઉપવાસ રાખી શકતા નથી તેમના માટે નવરાત્રિ દરમિયાન પ્રતિપદા અને અષ્ટમી તિથિએ ઉપવાસ રાખવાનો નિયમ છે. આનાથી રોજના ઉપવાસ કરવા જેવું જ પરિણામ મળે છે. તેથી જે ભકતો અષ્ટમી તિથિનું વ્રત રાખવા માગતા હોય તેમણે મંગળવારનું જ વ્રત રાખવું જોઈએ. મહાગૌરી આઠ વર્ષની ઉંમરે તેમના પૂર્વ જન્મની ઘટનાઓથી વાકેફ થઈ ગઈ હતી. આ ઉંમરથી જ તેણે ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી, જેના કારણે તેના શરીરનો રંગ કાળો થઈ ગયો. માતાની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેનું શરીર ગંગા નદીમાં ફેંકી દીધું. પવિત્ર પાણીથી ધોવાઈ. આ કારણે માતાનું વર્ણ ગૌર બન્યું. આથી તેનું નામ મહાગૌરી પડયું. અષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા કરવાની પરંપરા છે.
એવી માન્યતા છે કે મહાગૌરીની પૂજા કરવાથરી તમામ પાપોનો નાશ થાય છે.
આવું છે દેવીનું સ્વરૂપ:
માતા મહાગૌરીના એક હાથમાં ત્રિશૂળ છે, જે દુર્ગાશકિતનું પ્રતીક છે અને બીજા હાથમાં ભગવાન શિવનું પ્રતિક ડમરૂ છે. ડમરૂ ધારણ કરવાને કારણે તેને શિવ પણ કહેવામાં આવે છે. તેમના ત્રીજા હાથ વરમુદ્રામાં છે અને ચોથો હાથ એક ગૃહિણીની શકિત દર્શાવે છે.
લૌકિક સ્વરૂપમાં ભગવાન તેજસ્વી, કોમળ, સફેદ રંગના સફેદ વસ્ત્રો ધારણ કરેલા અને ચાર ભુજાઓ વાળા છે. તે સફેદ વૃષભ (બળદ) પર સવારી કરે છે.
દેવીને આ અર્પણ કરો
માં શકિતના આ સ્વરૂપને નોરિયેળ, હલવો, પુરી અને શાકભાજી અર્પણ કરવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને કાળા ચણાનો પ્રસાદ બનાવવામાં આવે છે. પૂજા પછી કુંવારી ક્ધયાઓને ભોજન કરાવી તેમની પૂજા કરવાથી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ક્ધયાઓને ખવડાવવા અને પૂજા કરવાથી ધન, વૈભવ અને પ્રાપ્તી થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy