રાજકોટ,તા.4
રાજકોટમાં સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા આજે પુષ્ટિપ્રવર્તક, અખંડ ભુમંડતાઆર્ય જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 545મો પ્રાગટયોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં આવેલી હવેલીઓમાં વલ્લભકુળના બાળકોની અધ્યક્ષતામાં વહેલી સવારથી ઉજવણી થઈ રહી છે. મનોરથોના દર્શનાથી વૈષ્ણવો વિભોર બન્યા છે.
સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા ગો.શ્રી પરાગકુમારજીમ.ના સાંનિધ્યમાં આજે સાંજે શોભાયાત્રા-ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે.આજે શ્રી વલ્લભકુળના વૈષ્ણવાચાર્યોના સાંનિધ્યમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જશુબાઈ મંડાણથી શોભાયાત્રાનો પ્રારંભ સાંજના 6.30 વાગે થશે જે બાલકૃષ્ણ હવેલી, નવાનાકા રોડ, કંસારા બજાર, પરાબજાર થઈને સાત સ્વરૂપ હવેલીએ પહોંચશે ત્યાં કીર્તન તથા વલ્લભકુળના આચાર્યોના વચનામૃત યોજાશે તેમ વૈષ્ણવ અગ્રણી અરવિંદભાઈ પાટડીયાએ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy