રાજકોટ સમસ્ત જૈન સમાજ તથા જૈનમના ઉપક્રમે

કાલે વીરપ્રભુના જન્મ વધામણા : ધર્મસભા-ધર્મયાત્રાનું દિવ્ય આયોજન : ત્રિશલાનંદન વીરનો ગગનભેદી નાદ ગુંજશે

Dharmik | Rajkot | 20 April, 2024 | 04:10 PM
કાલે સવારે 8 વાગે મણિયાર દેરાસરથી ધર્મયાત્રાનો પ્રારંભ : વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઇને વિરાણી પૌષધશાળામાં ધર્મસભામાં પરિવર્તિત થશે : સાધર્મિક ભકિતનું આયોજન : સમસ્ત જૈન સમાજમાં અનેરો થનગનાટ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 20

આવતીકાલે જૈનોના ર4મા તીર્થંકર ભગવંત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક નિમિતે રાજકોટના સસ્ત જૈન સમાજ તથ જૈનમ દ્વારા ભવ્યાતિભવ્ય ધર્મયાત્રા, ધર્મસભા તથા સાધર્મિક ભકિત (ગૌતમ પ્રસાદ)નું આયોજન કરવામાં આવેલ છે.

ધર્મયાત્રા

આવતિકાલે સવારે મણીયાર દેરાસર ખાતેથી ભવ્ય ધર્મયાત્રા નો પ્રારંભ અનેક સાધુ-સાઘ્વીજી ભગવંતો, સમાજ શ્રેષ્ઠીઓ, સંસ્થા, મંડળ, રાજકીય પક્ષનાં આગેવાનો, શ્રાવક-શ્રાવિકાઓની હાજરી વચ્ચે થનાર છે. આ ધર્મયાત્રામાં 25 થી વધુ ફલોટ જોડાવવાનાં છે જેમાં સુંદર ડેકોરેશન કરનાર ફલોટનાં વિજેતાઓને જૈનમ પરિવારનાં ડોકટર સભ્યોની બનેલી એક નિર્ણાયકોની ટીમ દ્વારા નિરીક્ષણ કરી જાહેર કરવામાં આવશે. જેમને ધર્મસભામાં ઈનામ એનાયત કરવામાં આવશે. 

આ ઉ5રાંત અનેકવિધ ડેકોરેશન સાથે કાર, બાઈક, સ્કુટર પણ વિશાળ સંખ્યામા જોડાવવાનાં છે. વિન્ટેજ કારમાં આગેવાનો આ ધર્મયાત્રામાં જોડાશે. સંગીતની સુરાવલીઓ વહેડાવતા બ્ોન્ડ, રાસમંડળી, કળશધારી બહેનો આ યાત્રામાં જોડાશે. સાથે પ્રભાવના કરતો અનુકંપા રથ અને ભગવાન મહાવીર જેમાં બરિાજમાન થનાર તેવો ચાંદીનો રથ આ ધર્મયાત્રાનું વિશેષ નજરાણું છે તે પણ જોડાશે.  

આ રથમાં કેયા ભાવેશભાઈ મહેતા અને હસ્તી જીતુભાઈ કોઠારી બરિાજમાન મહાવીર સ્વામીની સેવામાં રહેશ્ો. આ ચાંદીનાં રથનું વહન પુજાની જોડમાં સજ્જ યુવાનો દ્વારા સારથી બનીને કરવામાં આવશે. આ યુવાનો દ્વારા આખા રૂટ ઉપર ખુલ્લા પગે રથ ખેચવામાં આવશે. આ દરમ્યાન યુવાનો દ્વારા પુજાનાં કપડાની મર્યાદા મુજબ પાણી પણ પીવાની છુટ હોતી નથી.  આ રથ જ્યારે યાત્રાનાં રૂટ ઉપર ફરશે ત્યારે નવકારનાં નવ પદ એવા નવ સ્ટેજમાં  તમામ સ્ટેજ ઉપર 12 બાળકો આ યાત્રાનું સ્વાગત કરશે આ તમામ બાળકોને દાતાશ્રી દ્વારા ઈનામો આપવામાં આવશે.

રૂટ ઉપર ઠેરઠેર 18 આલમ, એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ, રાજકીય પક્ષો દ્વારા ભગવાન મહાવીરનાં અક્ષતથી વધામણા કરવામાં આવશે. અનેક ગ્રુપ, સંઘ, દાતા પરિવાર દ્વારા ઠેરઠેર ઠંડા પાણી, સરબત, છાસ, લીંબ્ુા પાણી વિગેરેની ભકિત કરવામાં આવશે. સમગ્ર યાત્રામાં ઠેરઠેર સુંદર સુશોભન કરવામાં આવીયું છે. એસ્કોર્ટ કમીટી દ્વારા આખી યાત્રાને સુરક્ષા અને સંચાલન પુરુ પાડવામાં આવશે. ધર્મયાત્રાનાં પ્રારંભે દાતાશ્રી દ્વારા તડકાનાં ધ્યાનમાં રાખીને રક્ષણ માટે 500 ટોપીનું વિતરણ કરવામાં આવશે. આ યાત્રા રાજકોટનાં સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા ખાતે પૂર્ણ થશે ત્યાં ધર્મસભામાં પરિવર્તીત થશ્ો. સંઘનાં ગેઈટની સામે તમામ શ્રાવક-શ્રાવિકાઓનું સ્વાગતરૂપે સ્તવનો રજુ કરવામાં આવશે.

ધર્મસભામાં સાધુ-સાધ્વીજી ભગવંતો આર્શિવચન પાઠવશે. જૈન આગેવાનો પ્રેરક ઉદ્બ્ાોઘનો આપશ્ો. વિવિધ સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામો આપવામાં આવશે. તમામ શ્રાવકોને બ્ુાંદીનાં લાડુની પ્રભાવના કરવામાં આવશે. ધર્મસભા બાદ અનેક દાતાશ્રીઓના સહયોગથી 7000થી પણ વધુ જૈનો જયણા પૂર્વક વિધીથી બનાવેલ ગૌતમ પ્રસાદનો લ્હાવો લેશ્ો, ગૌતમ પ્રસાદનું આયોજન ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિરનાં પટાંગણમાં કરવામાં આવેલ છે. જ્યાં પણ દાતાશ્રી પરિવાર દ્વારા વરીયાણીનાં સરબતની શાતાકારી સેવા આપવામાં આવનાર છે. આ યાત્રામાં જોડાનાર ફલોટ તથા કાર માટેનું પાર્કિંગ હજુર પેલેસ, પેલેસ રોડ ખાતે રાખવામાં આવેલ છે. ઉપરોકત તમામ મહોત્સવને લગતી કામગીરીનું સંકલન જૈનમ પરિવારનાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી અને જયેશભાઈ વસા દ્વારા કરવામાં આવી રહ્યુંં છે. 

વિવિધ સ્પર્ધાઓ

મહોત્સવ અંતર્ગત ગત ગુરૂવારનાં ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા યોજાયેલ હતી જેમાં જૈનોનાં 24 તિર્થંકરો જેટલી સંખ્યામાં એટલે કે 24 જૈન જૈનતર સ્પર્ધકો દ્વારા ભગવાન મહાવીરનાં જીવન પ્રસંગોને વણી લેતી રંગોળીઓ રચી હતી. ગત શુક્રવારનાં રોજ 100 વધુ સ્પર્ધકો દ્વારા ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકો, યુવાનો, મહિલા, વડીલોએ પણ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ બન્ને સ્પર્ધાનાં તમામ સ્પર્ધકોને સન્માન પત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. બન્ને સ્પર્ધાનાં વિજેતાઓને આવતીકાલે યોજાના ધર્મસભામાં ઈનામો આપવામાં આવશે. ચિત્ર અને રંગોળીઓ નિહાળવા માટે આકાશવાણી પાસે આવેલ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ ખાતે તા.21ના રવિવાર સુધી સવારે 8 થી રાત્રે 10 સુધી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આજરોજ રાત્રે 8.00 કલાકે ભુપેન્દ્ર રોડ ખાતે આવેલ શ્રી સ્વામીનારાયણ મંદીરનાં ઓડીટોરીયમમાં એનીમેશન શો જે બાળકો ઉપરાંત મોટેરાઓને પણ જોવો ગમે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નિ:શુલ્ક ધોરણે આયોજીત આ એનીમેશન શોમાં જોડાવવા જૈનો ઉપરાંત તમામ સમાજનાં લોકોને અપીલ સહ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રાજકોટનાં મુખ્ય ચોક જેવા કે મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક), મહીલા કોલેજ ચોક, કોટેચા ચોક, મોટી ટાંકી ચોક ખાતે લાઈટીંગ કીઓસ્ક, રેઈન્બો ટ્રી દ્વારા હાઈ ટેક પ્રચાર થકી લોકોને મહોત્સવને જોડવા માટે પ્રચાર કરવામાં આવ્યો છે.અલગ અલગ 16 ટીમો દ્વારા રૂબરૂ જઈ ઉપાશ્રયો, દેરાસરો, સ્થાનકો, સંઘમાં બીરાજમાનો સાધુ-સાઘ્વજી ભગવંતો, શ્રાવક-શ્રાવિકાઓ, સંઘ પ્રમુખો વિગેરેને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આવતીકાલે સવારે બાળકોની વેશભુષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અનેક બાળકો વિવિધ વેશભુષામાં સજ્જ થઈ વાતાવરણને મહાવીરમય બનાવશે. આ તમામ બાળકોને દાતાશ્રીઓ તરફથી આકર્ષક ગીફ્ટ ઉપરાંત વિજેતા સ્પર્ધકોને વિશેષ ઈનામો થી નવાઝવામાં આવશે. આ સ્પર્ધા ઈમ્પીરીયા બીલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે, લીમડા ચોક ખાતે યોજાવાની છે. ભગવાન મહાવીરનું બાળ સ્વરુપે પારણું સાથે માતા ત્રિશલાજીને આવેલ 14 સ્વપના સાથે પ્રભુજીનું પારણું નામક નજરાણું ભુપેન્દ્ર રોડ ખાતે આવેલ ફેડરેલ બેંકોવાળા બલ્ડિીંગમાં યોજાનાર છે. જેનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે કરવામાં આવનાર છે. 

♦ જૈનમ આયોજીત ચિત્ર સ્પર્ધામાં ભગવાન મહાવીરના
અનેક રૂપોને કાગળ ઉપર ઉતારતા સ્પર્ધકો : સન્માન

રાજકોટ, તા. 20
ગઈકાલે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં 125 થી પણ વધુ સ્પર્ધકો જેમા સવિશેષ બાળકો ઉપરાંત યુવા ભાઈ-બહેનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરનાં ટ્રસ્ટી દિવ્યેશભાઈ જસાણી તેમજ તેમના પત્ની શ્રીમતિ સેજલબેન  ઉપરાંત જૈનમ્ ધર્મયાત્રા ધર્મસભાનાં અધ્યક્ષતા શ્રીમતિ દામીનીબેન  કામદાર પરિવારનાં જયભાઈ કામદારનાં હસ્તે કરવામાં આવેલ હતું. 

આ સ્પર્ધામાં સ્પર્ધકોનું મોનીટરીંગ અને પ્રોત્સાહન પુરુ પાડવા સેજલભાઈ મનીષભાઈ દોશી, ઝરણાબ્ોન વિભાશભાઈ શેઠ, શ્રધ્ધાબેન નિપુણભાઈ દોશી ઉપસ્થિત રહયા હતા. સ્પર્ધકોને સન્માન પત્ર અને રોકડ પુરસ્કાર દિવ્યેશભાઈ જસાણી, સેજલબેન  જસાણી, જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, વિભાશભાઈ શેઠ, નિલેશભાઈ કામદાર, તેજલબ્ોન વૈભવભાઈ સંઘવી, સેજલબેન  મેહુલભાઈ શાહ, કામીનીબેન  ભાવિનભાઈ ઉદાણી, દિવ્યેશભાઈ ગાંધી, ચંદ્રેશભાઈ મહેતા, કોમલબેન  મહેતા, મુકેશભાઈ વ્યાસ, યોગેશભાઈ જોશી, બેલાબેન ફેનીલભાઈ મહેતા, ડો.તન્વી મનીષભાઈ દોશી, કેતનભાઈ કોઠારી, ઉમંગભાઇ ગોસલીયા, નિલેશભાઈ દોશી, કવિતાબેન  પારસભાઈ શેઠનાં વરદહસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ચિત્રનગરી મુકેશભાઈ વ્યાસ, ડ્રોઈંગ શિક્ષક યોગેશભાઈ જોશી, જૈનમ પરિવારનાં બેલાબેન ફેનીલભાઈ મહેતા, ડો.તન્વી મનીષભાઈ દોશી, સેજલબેન  દિવ્યેશભાઈ જસાણીએ પોતાની ઉત્કૃષ્ટ સેવા આપેલ હતી.

♦ કાલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મ
કલ્યાણક: દરેક જીવો કર્મસત્તાને આધીન છે

 વીર પ્રભુશ્રી મહાવીર સ્વામી ભગવાન નો જન્મ કલ્યાણઉત્સવ જૈનો હર્ષો ઉલ્લાસ સાથે ઉજવે છે, એવા ભગવાન શ્રી મહાવીર પ્રભુ નુ સૂત્ર ક્ષમા વિરસ્ય ભૂષણમ .... માફી માગવી અને માફી આપવી એ ભગવાનનો આદેશ છે... પ્રભુના કહેવા પ્રમાણે મનુષ્યએ પહેલા પોતાના આંતરીક શત્રુને મારવા જોઈએ જેવા કે, કોધ, લોભ,લાલચ,મોહ,માયા, ભ્રમ ભગવાન આધ્યાત્મિક શુદ્ધતા અને આત્મનિર્ભરતા પર જોર દીધું છે, પ્રભુનુ માનવું હતું કે આત્મા શાશ્વત છે , અને આધ્યાત્મિક અનુશાસનના માધ્યમથી પૂર્વ જન્મના દુ:ખ દર્દ ના ચક્ર થી મુક્તિ મળી શકે છે .. મહાવીર પ્રભુના કહેવા પ્રમાણે પૃથ્વી પર રહેલ દરેક જીવીત જીવ પ્રત્યે સહિષ્ણુતા , અહિંસા,સાહજિક વિચારો અને અનુકંપા રાખવી જોઈએ. વિચાર, કર્મ અને શબ્દમાં સચાઇ હોવી જોઈએ, પરિગ્રહ તથા ચોરીનો ત્યાગ કરવુ જોઈએ, ભગવાન શ્રીએ કોઇ ઉપદેશ કે વચનો નથી આપ્યા પરંતુ કહ્યું છે સૃષ્ટીના જીવ માત્ર  જે કર્મો કરશે તેને ભોગવવા સિવાય છૂટકો જ નથી. જેમાં પ્રભુનો પણ બચાવ નથી થયો શ્રી ભગવાને પણ પોતાના કર્મો ભોગવ્યા છે. જૈનોના નિયમ જેવા કે અહિંસા, અપરિગ્રહ, ચોરી અને સત્યની સાથે પ્રભુએ વધુ એક નિયમ જોડ્યો તે છે. બ્રમચર્ય અને આ પાંચ ઉપર જ કર્મોનો સિદ્ધાંત છે, આ પાંચ ગુણ માટે પ્રભુને કહ્યું છે કે આ પાંચ ગુણ જીવને પૂર્ણતાની ઓર લઇ જાય છે...

આવા શ્રી વીર પ્રભુ મહાવીર ભગવાનના જન્મ કલ્યાણનો આજ અવસર આવ્યો છે

♦ કે.કે.વી. ચોકમાં નિ:શુલ્ક છાશ કેન્દ્રનો પ્રારંભ

ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂજ્ય ગુરૂદેવ શ્રી જગદીશ મુનિ મહારાજ સાહેબના શું શિષ્ય સદગુરૂ દેવ પૂજ્ય શ્રી પારસ મુનિ મ.ની નિશ્રામાં કે કેવી હોલ બ્રિજ નીચે કાલાવડ રોડ રાજકોટ ખાતે મુંબઈ સમસ્ત મહાજન ના મેનેજિંગ ટ્રસ્ટીના માર્ગદર્શન સમસ્ત મહાજન પ્રેરિત છાશ કેન્દ્રનો તા. 18ના પ્રારંભ થયો છે. માતૃશ્રી મધુબેન પ્રમોદભાઈ દેસાઈ હસ્તે અમિતભાઈ દેસાઈ પરિવાર મીઠી મધુરી છાશ વિતરણ સંપૂર્ણ લાભ લીધેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમિતભાઈ દેસાઈ જીવદયા પ્રેમી કેતનભાઇ સંઘવી બીપીનભાઈ પારેખ અજયભાઈ ભીમાણી માનસી બેન રાઠોડ નીતિનભાઈ મહેતા પ્રશાંતભાઈ શાહ જીજ્ઞાબેન વોરા આશાબેન ભટ્ટ મીતાબેન અંકિતાબેન મહેતા મુકેશભાઈ મહેતા જીતુભાઈ જોશી હિરેનભાઈ શાહ ઉપસ્થિત હતા. નિ:શુલ્ક છાશ વિતરણ બપોરના 3 થી પ કરવામાં આવશે. 

♦ શસ્ત્રો અને હથિયાર વિનાના વીરપ્રભુના સિધ્ધાંતોના જ પ્રભાવ નીચે ઉત્તરકાળના હિંસાવાન ધર્મોને પણ અહિંસાના ગીતો ગાવા મજબુર થવું પડયું

♦ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવનની અજોડ સિધ્ધિ

શ્રમણ ભગવાન મહાવીરનું નામ પડે એટલે કેટલી બધી વાતો યાદ આવે. ભગવાનની સામે ફૂંફાડા મારતો ચંડકોશિયો નાગ દેખાય. ભગવાનને પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસનાં પારણાં કરાવતી ચંદનબાળા દેખાય. ભગવાનનાં ચરણોમાં આળોટતા રાજાઓ દેખાય. કુબેરના ખજાના સમી સંપત્તિને છોડીને ભગવાનનાં ચરણોમાં ફકીરીની અમીરી સ્વીકારતા શાહુકારો દેખાય. પગની પાની સુધી પહોંચતા લાંબા અને કાળાભમ્મર વાળનું સૌન્દર્ય ધરાવતી અપ્સરા જેવી ક્ધયાઓ ક્ષણભરમાં કેશલોચ કરીને ભગવાનનાં ચરણોમાં સાધ્વીજીવનનો સ્વીકાર કરીને ખુલ્લા પગે વનવગડામાં બાવળની અણીદાર શૂળો વાગવાની ચિંતા કર્યા વિના આત્માની મસ્તીમાં ચાલતી દેખાય. એક તરફ ધન્ના અણગાર જેવા તપસ્વી હોય, બીજી બાજુ પૂણીયા શ્રાવક જેવા સમતાના સાગર હોય. એક તરફ બાળક અતિમુક્ત હોય, તો બીજી તરફ બાળક જેવા ગૌતમસ્વામી હોય! સ્વભાવથી સરળ અને જ્ઞાનથી મહાન એવા ગૌતમસ્વામી એક નાના બાળકની જેમ ભગવાનને સવાલો પૂછતા હોય, ઘણીવાર તો એમના સવાલો પણ નાના બાળક જેવા જ હોય! અને ભગવાન મહાવીર પૂરી ગંભીરતાથી એના ઉત્તરો આપતા હોય.

આ બધાં દ્રશ્યો ભગવાન મહાવીરના સ્મરણે તાજાં થાય છે. ક્ષત્રિયકુંડના રાજસિંહાસનને છોડીને આમજનતાના હૃદયસિંહાસન ઉપર બેસનારા ભગવાન મહાવીરે માત્ર ત્રણ દાયકાના ટૂંકા ગાળામાં સમગ્ર ભારતવર્ષની વૈચારિક કાયાપલટ કરી એ બનાવ વેદકાળના આરંભથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ચમત્કાર છે. ‘એક હાથમાં ધર્મગ્રન્થ અને બીજા હાથમાં હથિયાર’ જેવી જબરજસ્તીથી નહીં પરંતુ એક આંખમાં કરુણા અને બીજી આંખમાં પ્રેમના પારાવાર જેવી સલૂકાઈથી ભારતવર્ષના ઘડવૈયાઓમાં ઊંચું અને આદરભર્યું સ્થાન પામેલા ભગવાન મહાવીરે જે ધર્મપ્રવર્તન કર્યું એમાં ‘માત્ર મારા શરણે આવ, મારા ધર્મનો સ્વીકાર કર’ એમ કહેવાના બદલે ‘તને ઠીક લાગે તેનો સ્વીકાર કર.’ એ વિચારને કેન્દ્રમાં રાખ્યો. દશવૈકાલિક નામના જિનાગમમાં ‘જં સેયં તં સમાયરે’ એ શબ્દો દ્વારા ભગવાન મહાવીરનો આ સિદ્ધાંત સચવાયેલો છે. વિચારની આઝાદી સાથે આચારની નિર્મળતાનો આ એક અજોડ દાખલો છે.

અન્ય ધર્મગ્રન્થો જ્યારે હિંસા અને બલિદાનો દ્વારા ભગવાનને ખુશ કરવાની વાતો કહેતા હતા ત્યારે ભગવાન મહાવીરે અહિંસા દ્વારા આત્માને પ્રસન્ન કરવાની વાત કરી. હર્ષ-શોકથી ઘેરાયેલા ભગવાનના બદલે રાગ-દ્વેષમુક્ત ભગવાનનો વિચાર તેમણે જગતને આપ્યો. જગતના સર્જન, વિસર્જન, પાલન, પોષણની જવાબદારીવાળા ઈશ્વરના બદલે જગતને માર્ગ બતાવનારા ઈશ્વરનો જગતને પરિચય આપ્યો. ઉપરથી નીચે આવનારા ભગવાનના બદલે નીચેથી ઉપર જનારા ભગવાનની વાત કરી. જે પોતે મુક્ત હોય તે જ બીજાને મુક્તિનો માર્ગ બતાવી શકે અને જે પોતે બુદ્ધ હોય તે જ બીજાને બોધના રસ્તે લઈ જઈ શકે એ આદર્શ વિચારની ભગવાન મહાવીરે સ્થાપના કરી.

‘માનવમાત્ર મોક્ષને પાત્ર’નો ભગવાન મહાવીરે આપેલો મંત્ર એટલો મહાન પૂરવાર થયો કે જાતિ આધારિત જ્ઞાન તેમજ જાતિ આધારિત ધર્મની ધારણાના ભુક્કા બોલાઈ ગયા અને જાતિ આધારિત ભેદભાવવાળી અનેક રૂઢિઓ અને ભ્રમણાઓ એના પાયામાંથી હલબલી ઊઠી. ભગવાન મહાવીરના આ નવપ્રસ્થાનના કારણે તેમના ધર્મસંઘમાં મેતારજ જેવો સમાજના છેવાડાનો માણસ પણ દીક્ષા ધારણ કરીને મહામુનિનો દરજ્જો પામી શક્યો. જે તત્કાલીન અન્ય ધર્મો અને સમાજમાં કદી શક્ય નહોતું. આજના ભારતમાં પણ ક્યાં શક્ય છે!

લોકો સમજી શકે એવી સરળ ભાષામાં ઉપદેશ આપીને ભગવાન મહાવીરે એ યુગમાં અઢારે આલમ માટે ઉપદેશ શ્રવણનાં દ્વાર ખોલી આપ્યાં. ભગવાન મહાવીરના પ્રકાંડ પંડિત શિષ્યોએ પણ પાંડિત્યથી ભરેલું, ક્લિષ્ટ અને ન સમજાય તેવું સાહિત્ય લખવાના બદલે આબાલ-વૃદ્ધ અને ગામડાની અભણ સ્ત્રીઓ સુદ્ધાં સમજી શકે એવી ભાષામાં સાહિત્યનું સર્જન કર્યું. ચાર વેદ અને ચૌદ મહાવિદ્યાઓના પારગામી એવા ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર મહાપંડિતો પોતાના 4400 શિષ્યો સાથે જ્યારે ભગવાન મહાવીરનાં ચરણોમાં દીક્ષિત થયા ત્યારે દુનિયાને ભગવાન મહાવીરના આધ્યાત્મિક પ્રભાવની અનુભૂતિ થઈ. આવો આધ્યાત્મિક પ્રભાવ પામતાં પહેલાં ભગવાન મહાવીરને ખૂબ સહન કરવું પડયું હતું.

‘શસ્ત્રો અને હથિયારો વિનાના આ ભગવાન’ના સિદ્ધાંતોના જ પ્રભાવ નીચે ઉત્તરકાળમાં હિંસાવાદી ધર્મોને પણ અહિંસાનાં ગાણાં ગાવા માટે મજબૂર થવું પડયું એ ભગવાન મહાવીરના જીવનની અજોડ સિદ્ધિ છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj