વંદેભારત ટ્રેન હવે 160 કિ.મી.ની સ્પીડે દોડશે

Gujarat | Vadodara | 08 April, 2024 | 12:18 PM
ટ્રાયલ રન માટે મંજુરી: સુરક્ષાની શરતોનું પાલન કરીને મુંબઈ-અમદાવાદ વચ્ચે ટ્રાયલ કરવા સુચના
સાંજ સમાચાર

વડોદરા,તા.8
ભારતમાં આધુનિક ટેકનોલોજી સાથેની વંદેભારત ટ્રેનની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી આ ટ્રેનની ઝડપ વધારીને 160 કી.મી.ની કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.

વંદેભારત એકસપ્રેસને 160 કી.મી.ની ઝડપે દોડાવવા માટે ટ્રાયલ શરૂ કરવા પશ્ચિમ રેલવેને મંજુરી મળી છે. હાલ આ ટ્રેન 130 કીમીની ઝડપે દોડે છે. ટ્રાયલ સફળ થવાના સંજોગોમાં સ્પીડ વધારાશે અને તે સંજોગોમાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનાં અંતરમાં વધુ 45 મીનીટની બચત થશે.

ભારત સરકારનાં રેલવે સુરક્ષા પંચ દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચેની 16 કોચની વંદેભારત એકસપ્રેસની 160 કી.મી.ની સ્પીડનું ટ્રાયલ શરૂ કરવા મંજુરી આપવામાં આવી હતી. પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજરને પાઠવાયેલા પત્રમાં એવુ સ્પષ્ટ કરાયું છે કે દિવસના સમયે અને નોર્મલ વાતાવરણની સ્થિતિમાં જ ટ્રાયલ કરવાની રહેશે.

ટ્રાયલ રન વખતે તમામ રેલવે ક્રોસીંગ વખતે રેલ્વે પ્રોટેકશન ફોર્સનાં જવાનોને મૌજુદ રાખવા ફાટક પરથી પગપાળા સુવિધા બંધ રાખવા જેવી સુચનાઓ પણ આપવામાં આવી છે. રેલવે પ્લેટફોર્મ પર અધિકારીઓએ પણ હાજર રહેવુ પડશે અને પ્લેટફોર્મથી દુર રહેવા લોકોને આગોતરી જાણકારી આપવી પડશે.

ટ્રાયલ રન પૂર્વે લોકો પાયલોટને તાલીમ આપવા તથા મેડીકલ ફીટનેસ ચકાસવા કહેવાયું છે. આ ટ્રાયલ રન વખતે રૂટ પર સામેથી અન્ય ટ્રેનની મુવમેન્ટ બંધ રાખવા પણ સુચના જારી કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj