રાજકોટ,તા.1
એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન ભાજપ માટે ચિંતા બની ગયું છે તે સમયે રાજકોટના પુર્વ રાજવી માંધાતાસિંહ જાડેજાએ આવતીકાલે સવારે સૌરાષ્ટ્ર-ગુજરાત સ્થિત રજવાડાઓના પુર્વ રાજવીઓની રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠક બોલાવી છે અને રણજીતવિલાસ પેલેસ ખાતે સવારે 8.45 કલાકે તે મળશે.
ક્ષત્રિય સમાજનું આંદોલન ભાજપ સામે પડકાર ફેંકી રહ્યું છે અને તેમાં ડેમેજ કંટ્રોલના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે તે સમયે સૌરાષ્ટ્ર-ગુજરાતના પુર્વ રાજવીઓની આ બેઠક મહત્વની બની રહેશે અને માનવામાં આવે છે કે તેઓ ભારતીય જનતા પક્ષને સાથે રહેવા ક્ષત્રિય સમાજને અપીલ કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy