એક પછી એક મોતના મોંમાં ધકેલાતા યુપીના માફિયા ડોનની યાદી ઘણી લાંબી

અંસારી, અતીક, દુબે, મુન્ના... યુપીમાં ખતમ થતા ગયા માફિયા ડોન

India | 29 March, 2024 | 05:46 PM
મુખ્તાર અંસારીનું ગઈકાલે હાર્ટએટેકથી મોત થયું પણ યુપીના રાજકારણમાં માફિયા ડોન કમ રાજકારણીઓનો દબદબો પહેલાથી રહ્યો છે: અતીક અહેમદની સરાજાહેર હત્યા થઈ હતી તો અંસારી ગેંગનો જ સભ્ય સંજીવ જીવાનું અદાલત પરિસરમાં જ મર્ડર થયેલું: મુના બજરંગીની બાગપત જેલમાં હત્યા થયેલી
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.29
ઉતરપ્રદેશમાં ગઈકાલે વધુ એક માફિયાનો અંત આવ્યો છે. માફિયા કમ રાજકારણી મુખ્તાર અંસારીની ઉતરપ્રદેશના અનેક ભાગોમાં આણ પ્રવર્તતી હતી, રાજનીતિમાં તેણે એન્ટ્રી કરી તો તે પાંચ વાર ધારાસભ્ય તરીકે ચુંટાયો હતો. ગઈકાલે અંસારી અતીત થઈ ગયો હતો એના પહેલા ગત વર્ષે 15 એપ્રિલે સાંસદ અને માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં ગોળી મારી હત્યા કરાઈ હતી. આ હત્યા સરાજાહેર કેમેરા સામે થઈ હતી.

યુપીમાં માફિયા કમ રાજકારણીઓનો દબદબો હતો. માફીયા-રાજકારણીઓનો યુપીમાં છેલ્લા કેટલાક સમયથી ખાત્મો થઈ રહ્યો છે. મુખ્તાર અંસારી પહેલા અતીક અહેમદ, તે પહેલા વિકાસ દુબે, મુન્ના સહિતના માફિયાઓનો ખાત્મો બોલ્યો છે.

મુખ્તાર અંસારી: મુખ્તાર અંસારીના મોત સાથે જ ગાઝીપુર સહિત અનેક જિલ્લામાં પ્રભાવ રાખનાર માફિયાનો અંત આવી ગયો છે. ભાજપ્ના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય 500 ગોળીઓ મારીને કતલ કરાઈ હતી. આ કાંડમાં મુખ્તાર અંસારીનું નામ બહાર આવ્યું હતતું. આ પહેલા પણ મુખ્તાર સામે અનેક ડઝન ગુના નોંધાયા હતા.

અતીક અહેમદ: અલાહાબાદના સાંસદ રહી ચૂકેલા અતીક અહમદનું કદ રાજનીતિમાં આવવાથી એટલું વધી ગયું હતું કે પ્રયાગરાજથી લઈને કાનપુર સુધી તેની અસર હતી. ધારાસભ્ય રાજુ પાલની હત્યા બાદ અતીકને સિતારા ચક્રાવામાં આવ્યા હતા.

મુન્ના બજરંગી: યુપીના વધુ એક માફીયા મુન્ના બજરંગીની બાગપતની જેલમાં જુલાઈ 2018માં હત્યા થઈ હતી. તેની હત્યામાં ગેંગસ્ટર સુનીલ રાઠીનું નામ બહાર આવ્યું હતું. મોટી વાત એ છે કે મુન્ના બજરંગી પણ મુખ્તાર ગેંગનો સભ્ય હતો. જોનપુરમાં જન્મેલા મુન્નાનું અસલી નામ પ્રેમ પ્રકાશસિંહ હતું. શરૂઆતમાં મુન્ના બજરંગીએ વારાણસીમાં શરાફ વેપારીની સરાજાહેર હત્યા કરી હતી. સંજીવ જીવા: સંજીવ જીવા પણ મુખ્તાર અંસારી ગેંગનો સભ્ય હતો અને પશ્ચિમ યુપીમાં અપરાધમાં તેનું મોટુ નામ હતું. સંજીવ માહેશ્ર્વરી ઉર્ફે જીવાને લખનૌમાં કોર્ટમાં હાજર થવા લાવવામાં આવ્યો હતો ત્યારે તેની પર હુમલો થયો હતો.

વિકાસ દુબે: વિકાસ દુબેએ પોતાના ગામમાં સીઓ સહિત 8 પોલીસવાળાની હત્યા કરી હતી. આ કાંડ ત્રણ જુલાઈ 2020ના થયો હતો. ત્યારબાદ દુબે ફરાર થઈ ગયો હતો તે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
અનિલ દુજાના: અનિલનો ખોફ બુલંદ શહેર, નોઈડા જેવા યુપીના પશ્ચિમી વિસ્તારમાં હતો. ગત વર્ષે મે માં યુપી એસટીએફે તેને ઠાર કર્યો હતો. 36 વર્ષનરા અનિલ દુજાના પર 62 કેસ ચાલતા હતા. જેમાં 18 મર્ડર સહિત ખંડણી, લુંટફાટ, જમીન પર કબ્જાના કેસ હતા. ઉદયભાન યાદવ: ઉદયભાન યાદવ ઉર્ફે ગૌરી યાદવનું નામ ભલે ચર્ચિત નહોતું પણ બુંદેલખંડ વિસ્તારમાં તેનો ખોફ હતો. પાંચ લાખ રૂપિયાનુ ઈનામ તેના માટે હતું. તે ગત વર્ષે ચિત્રકુટમાં ઠાર થયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj