મોરબીના સોની વેપારીએ મચ્છુ-2 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત

Local | Morbi | 29 April, 2024 | 01:47 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા સોની વેપારી મનોજભાઈ ઉર્ફે લાલો જયંતીભાઈ રાણપરા જાતે સોની (44)એ મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં જમ્પલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ઘટના સ્થળેથી મૃતક યુવાનના ચપ્પલ, મોબાઇલ, પાકીટ તેમજ સુસાઇટ નોટ મળી આવી હતી જેને પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ છે અને આ આપઘાતના બનાવ અંગેની પ્રિયાંકભાઈ હર્ષદભાઈ પારેખ જાતે સોની (33) રહે. દરબારગઢ પાસે જૈન દેરાસરની સામે સંઘવી શેરી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણકારી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને છેલ્લા 18 વર્ષથી માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને આઠેક વર્ષ પહેલાં તે સોની કામ કરતા હતા તે સમયે સોનું ગાળવાની ગેસગનમાં ગેસ ચાલુ રહી જતા ગેસગનને સળગાવતાની સાથે જ ભડકો થયો હતો અને તેને ગળાના ભાગે આગની વરાળ લાગી જતા ગળામાં તેઓને તકલીફ થઈ ગઈ હતી અને તે વ્યવસ્થિત સમજી શકાય તેવું બોલીશ શકતા ન હતા જેથી કરીને બીમારીથી કંટાળી જઈને તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj