ઉના, તા.29
ઊના શહેરનાં કોર્ટ વિસ્તારમાં રહેતાં શાહિદ ભાઈ સુમરા નાં દોઢનાં દિકરા અલી એ નારીયેળ મોંઢામાં નાખી જતાં તેનો ટુકડો શ્ર્વાસ નળી માં ફસાઈ જતાં શ્વાસ લેવાની તકલીફ થતાં તાત્કાલિક ઈ એન ટી સર્જન ને બતાવતાં તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માં રીફર કરાતાં પિડિયાટીક વિભાગ નાં તબીબ દ્વારા ઓપરેશન દ્વારા નારીયેળનાં ટુકડા કાઢીને બાળકનો જીવ બચાવી લેવાયો હતો.
આ કિસ્સાની વાત કરી એ તો ગીર સોમનાથનાં ઊના શહેર નાં કોર્ટ વિસ્તારમાં રહેતા સામાન્ય ગરીબ પરીવાર નાં શાહિદ સુમરા અને મુનીજાબેનનાં દોઢ વર્ષના દીકરા અલીને 18 એપ્રિલના રોજ અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં અને ખાંસી આવતાં તેની મમ્મી મુનીજા બેનને દીકરાની શ્વાસનળીમાં નાળિયેરનો ટુકડો ગયો હોવાની શંકા જતા તાત્કાલિક ઊનાનાં પ્રાઇવેટ ઇ એન ટી સર્જન ને ત્યાં હોસ્પિટલ માં લઇ જવાતાં દોઢ વર્ષ નાં આ બાળક ની સ્થિતિ જોઈ ને તેનો જીવ બચાવવા ત્યાંથી અમદાવાદ સિવિલ રીફર કરતાં. જ્યાં ડો. રાકેશ જોષી, પીડિયાટ્રીક વિભાગનાં વડા અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા એનેસ્થેસિયા વિભાગનાં પ્રોફેસર ડો. સ્મિતા અને એસોસિયેટ પ્રોફેસર ડો નિલેષ સહિત ની તબીબી ટીમે બ્રોન્કોસ્કોપી કરીને બાળક ની માતા મુનીજાં બેનની શંકા મુજબનો નાળિયેરનો ટૂકડો બહાર કાઢ્યો હતો. ઓપરેશન બાદ પોસ્ટ ઓપરેટિવ સમય સામાન્ય પસાર થતાં બાળક સ્વસ્થ થતાં રજા આપવામાં આવી.અમદાવાદ સિવિલ હોસ્પિટલ નાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે,આ કિસ્સાઓમાં તેમની માતા ની સાવચેતી અને જાગરૂકતાના કારણે સમયસર ખબર પડતાં બાળકોનો જીવ આપણે બચાવી શક્યા તેમ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy